દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 8,084 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. 10 લોકોના મોત નોંધાયા છે, જેમાંથી 3 દિલ્હીમાં છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 47,995 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં તેમાં 3482નો વધારો થયો છે.