મહારાષ્ટ્ર સરકાર પર મંડરાઇ રહેલા સંકટના વાદળો વચ્ચે કોંગ્રેસના 10 ધારાસભ્યો સંપર્ક વિહોણા થયા છે. આ વચ્ચે કોંગ્રેસે કમલનાથને પાર્ટીના નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે પોતાના સાથે લગભગ 30 ધારાસભ્ય લઈને સુરતમાં પહોંચ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના ઉદ્ધવ સરકાર સામે તલવાર લટકી ગઈ છે.