સુપ્રીમ કોર્ટે 2002માં થયેલા ગુજરાત રમખાણ કેસોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વાળી SITના રિપોર્ટની વિરૂદ્ધ દાખલ કરેલ અરજીને ફગાવી છે. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, દિનેશ મહેશ્વરી, સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો. આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે એસઆઈટીના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે. મહત્વનું છે કે, ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની છે.
