ગુજરાતમા રાજકોટ મધ્યે શ્રી ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ભુવનેશ્વરી પીઠ ગોંડલ પીઠાધિકારી શ્રી ઘનશ્યામજી મહારાજના અધ્યક્ષ સ્થાને લગ્ન ઉત્સુક બ્રાહ્મણ પરિવાર ના ૪૦ વર્ષ થી નીચેના યુવક અને યુવતીઓ માટે મેગા પરિચય મેળો રાજકોટ જંકશન ભાટિયા બોર્ડિંગ ખાતે યોજાયો હતો. જેની વિગત આ પ્રમાણે છે.
વિવિધ ક્ષેત્રોમાં પોતાનું મહત્વ પૂર્ણ યોગદાન આપનારા સૌરાષ્ટ્રના વિવિધ બ્રહ્મ સમાજ અગ્રણીઓને “બ્રહ્મ ગૌરવ” એવોર્ડ અર્પિત કરી સન્માનિત કરવામાં આવેલા હતા. અન્ય રાજયોમાંથી ફક્ત તેલંગના રાજ્યમાંથી માત્ર આમંત્રિત અતિથિ હૈદરાબાદથી શ્રી ગુજરાતી બ્રહ્મસમાજ હૈદરાબાદ સિકંદરાબાદ ના અધ્યક્ષ શ્રી તરુણભાઈ મહેતાને આ પ્રસંગે ખાસ નિમંત્રિત કરવામાં આવેલા હતા. તેઓને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ડો. અશોકભાઈ જોશી સાહેબના વરદ હસ્તે શાલ થી સન્માન કરવામા આવેલ. માનનીય સાંસદશ્રી રામભાઈ અને શ્રી ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ના કન્વીનર અને બ્રહ્મ અગ્રણી શ્રી જનાર્દનભાઇ આચાર્યના હસ્તે “બ્રહ્મ-ગૌરવ” એવોર્ડ અર્પિત કરી સન્માનિત કરવામાં આવેલ. શ્રી તરુણભાઈ મહેતા સૌરાષ્ટ્ર – કચ્છનાં બ્રહ્મ સમાજના પદાધિકારીઓના સતત સંપર્કમાં રહી પોતાનુ આગવું યોગદાન તન મન અને ધનથી
કરતાં રહે છે.તેઓ વિભિન્ન સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ અખિલ ભારતીય હિંદુ મહાસભાના તેલંગાણાનાં એડવાઈઝરી બોર્ડ સદસ્ય છે. દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોનાં શ્રી દક્ષિણ ભારત ગુજરાતી બ્રહ્મ સમાજના માનદ મંત્રીશ્રી છે. આ ઉપરાંત તેઓ અન્ય ઘણી સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
તેઓ ગુજરાત રાજ્યના ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટના નિવૃત ડે. રજીસ્ટર છે હાલ તેઓ હૈદરાબાદ ખાતે આનંદમય સેવા નિવૃત જીવન ગાળે છે.
આ પ્રસંગે સમગ્ર ભારત ભરમાંથી લગભગ ૮૦૦ બ્રાહ્મણ યુવકો- યુવતીઓએ આ પરિચય મેળામાં ભાગ લીધો હતો. આ લગ્ન ઉત્સુક યુવક યુવતીને સંકોચ ન થાય એ માટે પરિચય વિધિ બેક સ્ટેજ એટલે બીજા કૅમેરા હોલમાં થતો હતો અને સૌ દર્શકો અને વાલીઓને
ઓન સ્ક્રીન બતાવવામાં આવ્યો હતો. પરિચય મેળામાં હાજર રહેનાર દીકરીઓને રૂપિયા પાંચ સો પુરા રજિસ્ટ્રેશન ફી પરત આપવામાં આવી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન કરનારા ની નામાવલી:-
ભૂવનેશ્વરી શક્તિ પીઠ ગોંડલ ટ્રસ્ટ ના અધિષ્ઠાતા ઘનશ્યામ મહારાજ- અધ્યક્ષ,
રોલેક્સ બેરીંગવાળા મનીષ ભાઈ મદેકા,
સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ નાં અધ્યક્ષ શ્રી દર્શિત ભાઈ
જાની,
ટ્રસ્ટ ના સર્વે સર્વાશ્રી પ્રવીણ ભાઈ જોષી,
પંકજ ભાઈ રાવલ,
જે.પી. ત્રિવેદી,
મધુકર ભાઈ ખીરા,
હૈદરાબાદ થી બ્રહ્મ સમાજ નાં અધ્યક્ષ તરુણ ભાઈ મહેતા,
હાઈકોર્ટ જશ્ટિશ અશોકભાઈ જોષી,
મંચ સંચાલક શ્રી જનાર્દન ભાઈ ભટ્ટ,
કમલેશભાઈ જોષી,
મહેશભાઈ રાવલ,
લલિતભાઈ ઉપાધ્યાય,
ધર્મેશ પંડ્યા,
નિલેશભાઈ ત્રિવેદી,
પરાગભાઈ ભટ્ટ,
લલિતભાઈ રાવલ,
મુન્નીબેન દવે, સુરભીબેન આચાર્ય,
નિલમ બેન તેમ જ કાર્યકરો
આ સૌએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૪/૬/૨૦૨૨.