સંઘ પર પરિવારની સંસ્થાઓએ વિચાર દોહન બાદ સાંસ્કૃતિક ભારતના કાયમી સ્વરૂપને ધ્યાનમાં રાખી તિબેટ સંબંધિત કાર્ય માટે સ્થાપિત કરેલ “ભારત તિબ્બત સંઘ” સંગઠન ઘણા વર્ષોથી કાર્યરત છે તિબટની આઝાદીના સમર્થન, ગાઢ સાંસ્કૃતિક સંબંધો અને કૈલાશ માનસરોવરની મુક્તિ વગેરે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કાર્યો માટે લોકજાગૃતિ કેળવવા આ સંગઠન કાર્યરત છે.
સંગઠન ની ગુજરાત પ્રાંતની અગ્રીમ ટીમમાં તાજેતરમાં શ્રી અર્ચનાબેન ઠાકરની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી થયેલ છે. કેન્દ્રીય સ્તરે માન. વિદુષી સુપ્રીમ કોર્ટના સેવા નિવૃત્ત જજ માન. સુશ્રી જ્ઞાન સુધા મિશ્રાજી અધ્યક્ષ તરીકે, માન. શ્રી સૌરભ સરસ્વતીજી વરિષ્ઠ ધારાસભ્ય રાજસ્થાન હાઇકોર્ટ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવે છે.
શ્રી અર્ચનાબેન ઠાકર વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રાંત પ્રદેશ ઉપાધ્યક્ષ મહિલા વિંગની જવાબદારી વહન કરે છે. વિદ્યાર્થીકાળમાં તેઓ શ્રી ABVPના શહેર સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમનો પરિવાર વર્ષોથી રાષ્ટ્ર સેવા રત સંગઠનનો સાથે અભિન્ન રીતે સંકળાયેલો છે.
“ભારત તિબ્બત સંઘ” ગુજરાત પ્રાંત સંગઠન કાર્યમાં વિવિધ સ્તરે અગ્રીમ જવાબદારી સંભાળતા પદાધિકારીઓ સર્વશ્રી ભાવેશભાઈ જોશી (બાપજી) પ્રાંત અધ્યક્ષ, શ્રી મૃણાલિની ઠાકર પ્રદેશ અધ્યક્ષ મહિલા વિંગ, શ્રી હરિભાઈ પ્રદેશ મહામંત્રી, યોગીનભાઈ છનિયારા યુવા વિભાગ, શ્રી ભવદીપ ત્રિવેદી અધ્યક્ષ રાજકોટ મહાનગર તથા અન્ય સૌ પદાધિકારીઓએ શ્રી અર્ચનાબેન ઠાકર ની પ્રદેશ ઉપાધ્યક્ષ પદે તરીકે વરણીને આવકારી શુભેચ્છા પાઠવેલ છે તેમ રાજેશભાઈ ભાટેલીયા સહ સંયોજક મીડિયા આઈટી વિભાગ ભારત તિબ્બત સંઘ ગુજરાત પ્રાંતની યાદીથી જણાવે છે.