એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સંજય વકીલનું સન્માન અમદાવાદ શહેરની પાંચ સંસ્થાઓ ધ્વારા કરવામાં આવ્યુ હતુ. કોલેજને સતત આઠ વર્ષ સુધી દેશના જુદા જુદા નામાંકીત રાષ્ટ્રીય મેગેઝીનોના “બેસ્ટ કોલેજીસ ઓફ ઇન્ડીયા” ના સર્વેમાં પસંદગી થઇ છે જે અસાધારણ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિ.વકીલનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ સર્વેમાં કોલેજનું રીઝલ્ટ, કટ ઓફ, પ્લેસમેન્ટ, સ્પોર્ટ્સ તથા કલ્ચરલ પ્રવૃત્તિઓની સિધ્ધિઓ, વેલ્યુ બેઝડ એક્ટીવીટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, કોલેજની જનરલ ડીસીપ્લીન, હાજરી, લીડરશીપ તથા મેનેજમેન્ટનો સહકાર વિગેરે ધ્યાનમાં લેવાય છે. આ બધાજ ક્રાઈટેરીયામાં એચ.એ. કોલેજે સુપેરે સર્વેમાં અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. આ સન્માન ધર્મ જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે પ્રમુખ પ્રબોધ શાહ, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સના ચેરમેન મહેન્દ્ર શાહ તથા એસ.વી. કોલેજના પ્રિ.જગદીશ ચૌધરી ધ્વારા થયુ હતુ. વિવિધ સંસ્થાઓ ધ્વારા સન્માન થતા પ્રિ. વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે આ સિધ્ધિ પ્રાપ્ત થયાનો શ્રેય જીએલએસ મેનેજમેન્ટના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીરભાઈ નાણાવટી, કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને જાય છે. આવા સન્માનથી વધારે ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા મળે છે તથા સમાજ ધ્વારા મળતા રેકગ્નીશનથી સંસ્થાની વિશીષ્ટ ઓળખ ઉભી થાય છે. અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલ આ સન્માન સમારંભમાં શહેરના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.