સુરત ખાતે કારગીલ વિજય દિવસની ગૌરવભેર ઉજવણીના ભાગરૂપે કલા પ્રતિષ્ઠાન ના ચિત્રકારો દ્વારા શહીદ વીર જવાન પરિવારોને સહયોગી બનવાના શુભ ભાવ સાથે રૂપિયા 16,94000/-(₹ સોળલાખ ચોરાણુહજાર)ની રાશિ અર્પણ કરવામાં આવી જે સમગ્ર રાષ્ટ્રમાટે ગૌરવંતી ઘટના બની 🙏 જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે તારીખ 26 -7 2022 ને મંગળવારના રોજ સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં શહિદ થયેલા વીર જવાનોને ભાવાંજલિ આપવામાં આવી.. અને તેમના પરિવારોનુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું… ૨૬મી જુલાઈ કારગીલ વિજયદિને સવારે 8:30 કલાકે પુષ્પાંજલિ… ત્યારબાદ 9:30 કલાકે સરથાણાથી સરદાર ચોક, મીનીબજાર સુધી ત્રિરંગાયાત્રામા અનેક આબાલ વૃદ્ધ લોકોએ જોડાઇને રાષ્ટ્રીય ચેતના ઉજાગર કરી અને સૌરાષ્ટ્ર ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 2000 કરતા પણ વધારે બોટલ રક્ત એકત્ર કર્યું હતું આ પ્રસંગે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના એક ભાગરૂપે કલાપ્રતિષ્ઠાનના 30 ચિત્રકારો દ્વારા સવારે 8:30 કલાકથી સાંજે 5:30 કલાક સુધી સૌરાષ્ટ્ર ભવન વરાછારોડ મીનીબજાર ખાતે સપ્તરંગી કલાંજલીનો કાર્યક્રમમાં યોજાયો હતા અને રક્તદાતાઓ, મુલાકાતિઓના 200 જેટલા લાઈવ નિદર્શન વ્યક્તિચિત્રો તૈયાર કરીને ફેમિંગ સાથે અર્પણ કરવામાં આવ્યા હતા અને 94 હજાર રૂપિયા જેટલી રોકડ રાશી શહીદ ફંડમાં જમા કરાવીને રાષ્ટ્રીય સદભાવના વ્યક્ત કરી હતી..આ અવસરે રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરતા કારગીલયુદ્ધના વિજય દિવસના 6 × 4 ફુટની સાઈઝના બે લાઈવ પેઇન્ટિંગ ચિત્રકાર નટુ ટંડેલ, ચિત્રકાર ચંદ્રકાંત પ્રજાપતિ, ચિત્રકાર ભાવેશ પટેલ અને ચિત્રકાર દિવ્યેશ બાગડાવાળા એ સાથે મળીને તૈયાર કર્યા હતા.. ત્યારબાદ રાત્રે યોજાયેલ સમર્પણ ગૌરવ સમારોહમાં સુરત શહેરના ઉપસ્થિત ડાયમંડ ,ટેક્સટાઇલ, બાંધકામ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં ઑકશન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઓનલાઈન ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ ઑકશનમાં છેલ્લી બોલીમાં હરેકૃષ્ણ ડાયમંડ સુરત અને પી .પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ તરફથી બોલાયેલી છેલ્લી બોલીમાં રૂપિયા 16 લાખ ફાઇનલ કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે લાઇવ સ્કેચ દરમિયાન સ્વૈચ્છિક મળેલી રોકડ રાશિ 94000 અને ઑકશનમાં મળેલી રાશી 1600,000/-લાખ રાશિ ભેગી કરીને શહીદ વીર જવાનો ના પરિવારને રૂપિયા 16,94000 /- ચેક દ્વારા કલાપ્રતિષ્ઠાનના ચિત્રકારો દ્વારા રાષ્ટ્રીય સદ્દભાવ સાથે જય જવાન નાગરિક સમિતિ ના કર્મઠસેવક અને સમાજ રત્ન કાનજીભાઈ ભાલાળાને ઉપસ્થિત મહેમાનશ્રીઓ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ,કારગીલના હિરો દિગ્વેદ્ર કુમાર, બ્રિગેડિયર બી.એસ. મહેતા.. લેફ્ટનન્ટ કર્નલ શ્રી મુકેશ રાઠોડ ,શ્રી ભરતભાઈ શાહ શ્રી મનહરભાઇ સાંસપરા અને જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.. આ સમગ્ર સપ્તરંગી કલાજંલિ કાર્યક્રમનું સંકલન સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયા સાથે ચિત્રકાર અને ટ્રસ્ટી શ્રી અજીત ભંડેરી, નટુ ટંડેલ, કૌશિક ગજ્જર, ચંદ્રકાંત પ્રજાપતિ, ભાવેશ પટેલ, સુધાબેન ઘેવરીયા ,દીપક મહેતા સાથે કલાપ્રતિષ્ઠાનની સમગ્ર ટીમે ખડા પગે ઊભા રહીને ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ રાષ્ટ્રીય ચેનલોના માધ્યમથી સમગ્ર વિશ્વમાં કરવામાં કરવામાં આવ્યું હતું અને સૌએ આ કલાપ્રવૃત્તિને ઓનલાઇન અભિનંદન આપીને કલાપ્રતિષ્ઠાનની કલાપ્રવૃત્તિને રાષ્ટ્રીય સદભાવના પ્રવૃત્તિ ગણાવીને બિરદાવી હતી…જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.