ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના રમતગમત વિભાગ ધ્વારા “ઈમ્પોરટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન અવર લાઈફ” વિષય ઉપર વિશ્વની પ્રથમ નંબરની લંડનની લોગબોરોગ યુનિવર્સિટી જે સ્પોર્ટ્સ માટે વિશ્વવીખ્યાત છે ત્યાથી માસ્ટર ડીગ્રી મેળવેલી અને અમદાવાદના વતની કુ.કલના શુક્લએ મુખ્ય વક્તા તરીકે કહ્યું કે માનસીક તથા શારીરીક સ્વાસ્થ મેળવવા માટે કોઈપણ રમતમાં ભાગ લેવો જરૂરી છે. એકસરસાઈઝ જીવનનો એક ભાગ બની જવો જોઈએ. નિયમીત રીતે રમતો રમવી, કસરત કરવી, પૂરતી ઉંઘ લેવી, હેલ્ધી ફૂડ લેવુ તથા જંકફૂડનો ત્યાગ કરવાથી શરીરની કોઈપણ મુશ્કેલી ઉભી થતી નથી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું કે આજના યુવાનોમાં મેદસ્વીતા હોવી, ડાયાબીટીસ તથા બી.પીના પ્રશ્નો હોવા, સ્ટડી ઉપર ફોકસ ના થવુ, નબળાઈ હોવી તથા શારીરીક અને માનસીક રીતે પૂરો વિકાસ ના થવો તેનું મુખ્ય કારણ બેઠાડુ જીવન અને શારીરીક શ્રમનો અભાવ છે. આથી દરેક વ્યક્તીએ નિયમિત રીતે યોગા તથા કસરત કરવી જોઈએ. કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર પ્રા.મહેન્દ્ર વસાવાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કર્યું હતુ. વિદ્યાર્થીઓએ હેલ્થ રીલેટેડ પ્રશ્નો પૂછીને સમગ્ર વક્તવ્યને ઇન્ટરએક્ટીવ સેશન બનાવ્યુ હતુ.