ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ ધ્વારા “સીક્રેટ ઓફ સકસેસ” વિષય ઉપર વક્તવ્ય યોજવામાં આવ્યુ હતુ. અમદાવાદના જાણીતા મોટીવેશનલ સ્પીકર દિવ્ય શુકત પ્રભુજીએ મુખ્ય વક્તા તરીકે કહ્યું હતુ કે જીવનમાં સફળતા મેળવવા માટે સૌથી પહેલી જરૂર તમારૂ લક્ષ હોવુ જોઈએ. તે અનુસંધાનમાં તમારો ગોલ મેળવવા પરિશ્રમ, પ્રીપેરેશન, કન્સીસટન્સી તથા આત્મવિશ્વાસ જરૂરી છે. આજના યુવાનો સોશીયલ મિડીયાનો ઉપયોગ વધુ કરતા પોતાના જીવનની કારકીર્દી ઉપર ફોકસ કરી શકતા નથી. જેનાથી સફળતા મેળવવામાં મુશ્કેલી પડે છે. પરિણામે ફસ્ટ્રેશનનો ભોગ બને છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સફળતા મેળવવા સૌ પ્રથમ પોતાની આવડત તથા શકતી મુજબ ગોલ નક્કી કરવો જોઈએ. અનુશાસન તથા સતત પ્રયત્નશીલ રહેવાથી આત્મવિશ્વાસ મેળવાય છે જેથી સફળતા મેળવવી સહેલી બને છે. વિશ્વના બધાજ સફળ વ્યક્તીઓમાં જો કોમન વાત હોય તો તેમાં સૌ પ્રથમ તૈયારી, મૂલ્યનિષ્ઠતા, પરીપક્વતા, આત્મનિરિક્ષણ, ક્રાઈસીસ મેનેજ કરવી, શિસ્ત, ચેલેન્જ સ્વિકારવી, પ્રતિકુળતામાં સામાન્ય રહેવુ તથા ઉચ્ચ વિચારો છે.સફળતાની ચાવી દરેક વ્યક્તી પાસે હોય છે. પરંતુ અનુશાસન ધ્વારા તેનો ઉપયોગ કરતા આવડવુ જોઈએ. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓ બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.