અમદાવાદ : ઇન્દિરાબ્રિજથી નિકળી તિરંગા યાત્રા, નડાબેટ ખાતે જવાનોનું કરાશે સન્માન
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા રેલી
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગાના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ શહેરના ઇન્દિરાબ્રિજ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા જે સુઇગામ ભારત-પાકિસ્તાન બોર્ડર સુધી કાઢવામાં આવી હતી.
દેશ જ્યારે તેની આઝાદીના 75 વર્ષના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ઉજવણી અતંર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ દરમિયાન દરેક દેશવાસીઓ તેમના ઘર, ઓફિસ, સરકારી કચેરીઓ, સહિતના સ્થળો પર તિરંગો લહેરાવે તેવુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યુ છે. જે અંતર્ગત ઇન્દિરાબ્રિજ ખાતેથી સિવિલ ડિફેન્સ ના વોર્ડન તથા અધિકારી શ્રી અને NGO ના સભ્યો સહિત આશરે 60 થી વધુ લોકો 17 ગાડીઓમાં સવાર થઇ નડાબેટ બોર્ડર સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
અમદાવાદથી નિકળેલી તિરંગા યાત્રા નડાબેટ પહોંચી સીમા પર દેશની રક્ષા માટે ફરજ બજાવતા જવાનોને સિવિલ ડિફેન્સના વોર્ડનો નિશાંત પટેલ, પલ્લવ પટેલ, મયુર રૂપાવટીયા, મનીષ શેલડિયા, તથા NGO સભ્યો દ્વારા ધ્વજ અર્પણ કરવામાં આવ્યું. નોંધનિય છે કે, દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરિકો પોતપોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ, પર તિરંગો લહેરાવે તે અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે.