જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈમરજન્સી રિસ્પોન્ડર ફોર્સ તથા ઇસનપુર પોલીસ ચોકી દ્વારા હર ઘર તિરંગાનું આશરે 1000 થી વધુ ધ્વજ વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી.
5-08-2022 ના રોજ 75 માં સ્વતંત્રતા દિન નિમિત્તે જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈમરજન્સી રિસ્પોન્ડર ફોર્સ તથા ઇસનપુર પોલીસ ચોકી જે મહાવીર સ્કૂલ પાસે ઘ્વજવંદન કરી હર ઘર તિરંગા કાર્યક્રમની સફળતા માટે આશરે 1000 થી વધુ ધ્વજનું વિત્રણ કરી નાના બાળકો ને ચોકલેટ આપી કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં *મુખ્ય અતિથિ* જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ દવે ઇસનપુર પોલીસ ચોકીના PSI શ્રી કે.બી. હડિયલ સાહેબ અને લીગલ ટીમ રજનીકાંત પરમાર (એડવોકેટ & નોટરી) ,પ્રવીણભાઈ પટેલ અને દિવ્યરાજ ડોડીયા (એડવોકેટ) તથા અમીન દેવ તેમજ ERF ના સેકેટરી ધર્મેશ ચાવડા , તથા તમામ પોલીસ સ્ટાફ સ્થાનિક સંસ્થાઓ ,સામાજિક આગેવાનો અને બાળકોએ ભારત ના 75 માં સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી કરી આ કારેક્રમને સફળ બનાવેલ