Namo News
No Result
View All Result
Thursday, June 1, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

“પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે. બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે.”- વૈભવી જોશી.

by namonews24
August 25, 2022
0
153
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

“પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે.

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે.”

“ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.”

“તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું.”

હું અમદાવાદનો રીક્ષાવાળો નવસોનવ્વાણું નંબર વાળો અમદાવાદ… અમદાવાદ બતાવું ચાલો”

‘રાખનાં રમકડાં મારાં રામે રમતા રાખ્યા રે..!”

આવાં ઢગલાબંધ ગીતો તમારાં હૈયે ને હોઠે આજદિન સુધી રમતાં આવ્યા હશે. તોય આ વિસલનગરા નાગરે એક ગજબ વાક્ય કહેલું,

“સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે.”

– અવિનાશ વ્યાસ

અવિનાશી અજરામર પદ્મશ્રી અવિનાશ વ્યાસ નામ જ પૂરતું છે આગળ કંઈ કહેવાની જરૂર પડે..!! આજે એમની પુણ્યતિથિ પર ભાવભીનું સ્મરણ થઇ જ આવે અને એમને યાદ કરવાનું ગૌરવ આપણે લેવાનું હોય. ગીત-સંગીત એટલે અવિનાશ વ્યાસ કે અવિનાશ વ્યાસ એટલે ગીત-સંગીત.

જોકે એમના અસંખ્ય ગીતો એક તરફ અને “માડી તારું કંકુ ખર્યું..!!” એક તરફ. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાનાં આથમતાં સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’. આ એક જ ગીત એમણે ગુજરાતી ભાષાને આપ્યું હોત તો પણ એ અમર થઈ ગયાં હોત.

શ્રી અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં પુત્રીહૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના ગરબાઓમાં દેખાય છે.

આખું નામ અવિનાશ અનંતરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાનાં ગાયક જેમણે ૧૯૦ કરતાં પણ વધુ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું. તેમણે હિંદી અને ગુજરાતી ચલચિત્રો માટે ૧૨૦૦ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા. એમણે સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા આશરે ૧૦,૦૦૦ જેટલી છે.

તેમણે તેમના સમયનાં મોટાભાગનાં મુખ્ય ગીતકારો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સમુમન કલ્યાણપુર, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર સાથે કામ કર્યું.

સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.

અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ ખરી. ગુજરાતનાં લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. જેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો.

ભારત સરકાર તરફથી ૧૯૬૯માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મેળવ્યો ત્યારે હા ! તે દિવસે પદ્મશ્રી પુરસ્કારની ગરિમા ચોક્કસ વધી ગઈ.

અવિનાશ વ્યાસને ન સાંભળ્યા હોય એ ગુજરાતી તો ન જ હોય પણ જો એમને નખશીખ જાણવા હોય તો Rajul Kaushik ની કલમે જ વંચાય..!!

– વૈભવી જોશી

Related Posts

“સાંઈ બાબા ભગવાન નથી”
Uncategorized

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.
NEWS

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.
NEWS

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
બોયફ્રેન્ડ અંગે કથાવાચક જયા કિશોરીએ આપ્યું મોટુ નિવેદન.
OTHER

બોયફ્રેન્ડ અંગે કથાવાચક જયા કિશોરીએ આપ્યું મોટુ નિવેદન.

May 29, 2023
શ્વાસ તારા જો મળે, આ શ્વાસને આજીવન હર શ્વાસ મારો તો, મનગમતું સંગીત થઈ જાય  – પુજન મજમુદાર.
NEWS

શ્વાસ તારા જો મળે, આ શ્વાસને આજીવન હર શ્વાસ મારો તો, મનગમતું સંગીત થઈ જાય – પુજન મજમુદાર.

May 29, 2023
*રંગ દે બસંતી*        *વીર વિનાયક દામોદર સાવરકર*  *એકજ પરિવાર ના ત્રણ સૂપુત્રોએ જીવન રાષ્ટ્ર ને સમર્પિત કરી દીધું..!*  ( ભાગ – ૧૫)  રમેશ ગોસ્વામી “સારથિ”
NEWS

*રંગ દે બસંતી* *વીર વિનાયક દામોદર સાવરકર* *એકજ પરિવાર ના ત્રણ સૂપુત્રોએ જીવન રાષ્ટ્ર ને સમર્પિત કરી દીધું..!* ( ભાગ – ૧૫) રમેશ ગોસ્વામી “સારથિ”

May 28, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
“સાંઈ બાબા ભગવાન નથી”

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
મહત્વના સમાચારો પર એક નજર .

GSEB ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% રિઝલ્ટ*

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023

Recent News

“સાંઈ બાબા ભગવાન નથી”

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023

Total Number of Visitors

0608389
Visit Today : 111
Hits Today : 216
Total Hits : 203916
Who's Online : 1

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

4:52:11 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In