તું જ મારી વાંસળી અને તું જ રેલાતા સૂર ….
તૂં પૃથ્વી પર અવતર્યો ને યમુના માં આવ્યાં પૂર …
તું જ મારી વાંસળી ને તું જ રેલાતા સૂર …
મથુરા ની જેલમાં જન્મી ગોકુળ ની ગલીઓ માં ગોવાળિયો થઈ ઓળખાયો….
દેવકી ની કુખે જન્મી જશોદા નો જાયો કહેવાયો….
રાધા નો સખો, મીરાં નો મોહન, અને રૂખમણી નો રાજા કહેવાયો…
સુદામા નો સખો બની સંસાર માં મિત્રતા ને નામે ઓળખાયો ….
દ્વારકા નગરી નો દ્વારકાધીશ કહેવાયો ….
હસ્તિનાપુર ની ભરી સભામાં પાંડવ પાંચાલી નાં વસ્ત્રાહરણ વખતે નોંધારા નો આધાર બનીને કૃષ્ણ કહેવાયો…
કુરુક્ષેત્ર ની યુદ્ધભૂમિ માં અર્જુન નો સારથિ બની ધર્મયુદ્વ માં માધવ કહેવાયો…
રૂખમણી, સત્યભામા અને લક્ષ્મી નો નાથ બનીને દ્વારકા નગરી માં દ્વારકાધીશ ઓળખાયો..
જુદાં જુદાં સરનામે નવાં નવાં નામે તૂં કૃષ્ણ થઈ પૂંજાયો …
કુલીન પટેલ ( જીવ )
રેખાંકન: દિલીપ દવે