ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. યુનીટના વિદ્યાર્થીઓ ધ્વારા શહેરના રવિશંકર રાવલ કલા ભવનમાં ફોટો જર્નાલીસ્ટ એશોશીએશન ધ્વારા યોજાયેલ ફોટો એકઝીબીશનની મુલાકાત કરી હતી. આ તસવીર પ્રદર્શન નિહાળ્યા બાદ કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે ફોટોગ્રાફર્સ ધ્વારા પાડેલા કોવીડ સમયમાં લીધેલા ફોટો માનવીય સંવેદનાથી ભરેલા, લાગણીશીલ દ્રશ્યો, ભાવનાત્મક મેસેજ તથા આંખોમાંથી આંસુ આવી જાય તેવા જીવંત ફોટો છે. પ્રિન્સીપાલ વકીલે વધુમાં કહ્યું હતુ કે આ ફોટો એક્ઝીબીશન રાષ્ટ્રીય કક્ષાએ યોજાવુ જોઈએ તે લેવલનું છે. કોલેજના વિદ્યાર્થીઓએ તસ્વીરો જોયા બાદ અદ્દભુત અનુભુતી વ્યક્ત કરી હતી. એક્ઝીબીશનની મુલાકાત દરમ્યાન વિવિધ ફોટોગ્રાફર્સ ધ્વારા ઉમળકાભેર સ્વાગત કરીને દરેક ફોટાનો ઈતિહાસ તથા તેની પરિસ્થિતીનો ચીતાર આપ્યો હતો.