ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આઝાદના રાજીનામાના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરના જી.એમ. સરોરી, હાજી અબ્દુલ રશીદ, મોહમ્મદ અમીન ભટ, ગુલઝાર અહેમદ વાની અને ચૌધરી મોહમ્મદ અકરમે પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ભવિષ્યમાં વધુ રાજીનામા આવી શકે તેવા સમાચાર છે.