કેન્દ્ર સરકારે 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા ઝુંબેશ શરૂ કરી હતી. આ અંતર્ગત દરેક ઘરમાં ત્રિરંગો લગાવાયો હતો. ઝુંબેશ સમાપ્ત થયા પછી પણ ઘણા ઘરોમાંથી તિરંગો નીચે ઉતારાયો નથી, જે રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2002ની અવગણના છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે એક ગાઈડલાઈન જાહેર કરીને કહ્યું છે કે ઘરોમાંથી તિરંગાને ઉતારી સન્માનપૂર્વક રાખવામાં આવે. આમ ન કરવા પર કાર્યવાહી થઈ શકે છે.