આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ પડવાની સંભાવના છે. 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર)થી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે મેઘરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. મહત્વનું છે કે, ગઇકાલે લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી હતી.