ON TEACHER”S Day
હું આજે તમને એક એવા શિક્ષક ને મળાવિશ કે જેને નાનપણ માં વિજળી નો કરંટ લાગવાથી બે હાથ ખોયા. ભણવા માં ખૂબ તકલીફ પડી પણ પી.ટી.સી. થયો . હાથ નહીં હોવાને કારણે કયાંય નોકરી નાં મળી. દેવજી પરમારે નાનકડી દુકાન કરી દૂધ કરિયાણું વેચે છે. અંદર નો શિક્ષક જતો નથી. એને અમદાવાદ માં મજૂરી કરવાં આવેલાં આદિવાસી પરિવાર નાં રખડતાં છોકરાં ને વાડજ થી ચાલતાં થલતેજ આવી મફત ભણાવવાનું શરૂ કર્યું. જ્યાં ભણાવતો હતો એ જમીન બિલ્ડરે ખરીદી અને એને ત્યાંથી તગેડી મૂક્યો,પણ ભણાવવા નું ઝનૂન ગયું નહી. એને સ્મશાન ને કર્મ ભૂમિ બનાવી. થલતેજ સ્મશાન પર રોજ સવારે એ ચાલતાં આવે છે. બાળકો ને મફત ભણાવે છે. મેં પૂછયું કે દેવજી ભાઈ કેમ સ્મશાન પર ભણાવો છો? એનો જવાબ હતો અહીં તો કોઈ બિલ્ડર આવી ને મારી સ્કૂલ તો નહી પડાવી લે. સરકાર મદદ નાં કરે તોય દબાણ કર્યું છે એમ કહી જગ્યા પરથી નહીં હટાવે. દેવજી ભાઈ પર બે લાઈન
सलामत रहे वो शहर जिस में तुम बसे हो ,
हम तुम्हारी खातिर पूरे शहर को दुआ देते हैं !