ગણેશ ચતુર્થી આવે એના કેટલાય મહિનાઓ પેલા તૈયારીઓ ચાલુ થઈ જાય છે. મૂર્તિકાર લોકો ગણપતિ ની પ્રતિમાઓ બનાવવામાં લાગી જાય છે તો જેમને ગણપતિ બાપ્પા ને ઘરે કે સોસાયટી માં કે કોમ્પલેક્ષ માં બેસાડવાના હોય એમના બુકિંગ(નોંધણી) કરાવવાનું ચાલુ થઈ જાય છે. એમ લોકો પોતાની શ્રદ્ધા અને ભક્તિ વિઘ્નહર્તા માટે વ્યક્ત કરે છે. અને આ બધું જોઈને અને જાણીને મન માં એક સારી અનુભૂતિ થાય છે, કે હજુ પણ લોકો માં શ્રદ્ધા છે, ભક્તિ નો ભાવ છે, અને આ બધું આપની હિન્દુ સંસ્કૃતિ નો જ એક ભાગ છે જે આપને આપણી આવનારી પેઢીને વારસા માં આપતા રહેવાનું છે, અને આપતા રહીશું.
પણ કહેવાય છે ને કે “અધૂરો ઘડો હંમેશા છલકાય જ” એવું જ કંઈ આપણે ત્યાં આપણાં સમાજ માં થઇ રહ્યું છે જે કદાચ ઘણા લોકો જાણે છે પણ અજાણ બનીને માણે પણ છે, આ કહેતા થોડું દુઃખ થાય છે, શું કરવાનું જે થઈ રહ્યું છે એને અંનદેખું પણ કરી ના શકાય… હવે મુદ્દા ની વાત એ કે ગણપતિ બાપ્પા ને વાજતે ગાજતે ઘરે લઈને તો આવે છે લોકો, અને મન મૂકીને ભક્તિ કરે છે પણ જે મોટા વરઘોડા અને ડીજે સાથે જ્યારે સવારી આવે છે ત્યારે એમાં ભરપૂર આલ્કોહોલ લઈને આજ ના નબીરાઓ નાચતા જોવા મળે છે ત્યારે એ જોઈને કે જાણી ને મન દુઃખી થાય છે કદાચ ગણપતિ બાપ્પા પોતે પણ નાખુશ હોય શકે…તો આપણી હિન્દુ સંસ્કૃતિ નું માન આમાં કેટલા અંશે જળવાય છે એ ચિંતા પણ આપણે પોતે આપણી હિન્દુ સંસ્કૃતિની કરવાની જરૂર છે,એવું કહેતા સહેજ પણ ખચકાટ નહિ થતો. ઉપરથી પંડાલ માં પણ ઘણું ખરું દૂષણ જોવા મળી જાય છે જેમ કે વગર કામ નો ઘોંઘાટ લાગતું સંગીત(મ્યુઝિક) વગાડતા નબીરાઓ ટાઈમ પાસ કરતા દેખાય છે,જે પર્યાવરણ ને પણ નુકશાન કરી શકે ધ્વનિ પ્રદૂષણ ના સ્વરૂપે.