Namo News
No Result
View All Result
Sunday, February 5, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home OTHER

અમદાવાદ : ગૌરવગાથા’ : આવકાર

by namonews24
September 12, 2022
0
154
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

‘અમદાવાદ : ગૌરવગાથા’ : આવકાર

namonews24-ads

અમદાવાદ વિશ્વવિખ્યાત ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ છે. તેને અનુરૂપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અનેક ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. આમ છતાં ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’નો આ ગ્રંથ નવી ભાત પાડે છે. આ ગ્રંથમાંથી અમદાવાદ નગરનો સળંગ ઇતિહાસ પ્રગટ થાય છે, પણ લેખકનો હેતુ માત્ર ઇતિહાસની હકીકતો પૂરતો મર્યાદિત નથી. તેથી તેમણે આજનાં હજારો ગુજરાતી વાચકને ઉપયોગી બને તેમજ તેમને રસ પડે તેવી રીતે ગુજરાતનાં ગઈકાલનાં તેમજ આજનાં સારસ્વતો, સાહિત્યકારો, ઇતિહાસકારો, ચિત્રકારો, સ્થપતિઓ, પત્રકારો, ડૉક્ટરો, રાજકારણીઓ, કેળવણીકારો, સમાજસુધારકો અને સામાજિક કાર્યકરોની ફોટોગ્રાફ સહિત જરૂરી વિગતો આપી છે અને તે દરેક વાચક માટે અમૂલ્ય રેડી રેફરન્સ’ની ગરજ સારે છે. લેખકનો આશય પૈસા કમાઈ લેવાનો નથી, પણ અમદાવાદ નગ૨ની અસ્મિતા ગરવી ગુજરાતી ભાષા દ્વારા પ્રગટ કરવાનો છે અને લેખક તેમના આ મિશનમાં સંપૂર્ણ સફળ થયા છે.

આ પુસ્તકની રસપ્રદ વાત તો એ છે કે લેખકે માત્ર અમદાવાદના ઇતિહાસને જ ઉલેખ્યો નથી, પણ સાંપ્રત સાંસ્કૃતિક પ્રવાહોને પણ લક્ષ્યમાં રાખ્યા છે. તેમાં અમદાવાદની ગૌરવ લેવા જેવી ઘણી બધી બાબતોનો સમાવેશ છે. પહેલાંના જમાનાનો અમદાવાદી કંજૂસ હતો અને તે હોટલમાં ચા પીવા જાય ત્યારે અડધી ચા મંગાવતો. આજનો અમદાવાદી ‘સુરતીલાલા’ની જેમ લહેરી હોવાથી તે હોટલ, રેસ્ટોરાં, ચાના સ્ટોલ, માણેકચોક અને લો-ગાર્ડનની ખાઉં’ગલી એમ બધે જ ફરી ફરીને જીભને અવનવા સ્વાદ આપે છે. બીજી તરફ માણેકભાઈ પ્રોફેશનલ ડેન્ટિસ્ટ છે, પણ તેઓ જીભ અને દાંત વચ્ચે સમાધાન કરી આપે છે. તેથી જ સ્તો એમણે અમદાવાદનાં ફરસાણ માર્ટ, રાયપુર ભજિયાં હાઉસ અને ચંદ્રવિલાસની ચટાકેદાર વાત કરીને લખ્યું છે કે ખુદ સ૨દા૨ વલ્લભભાઈ પટેલ પણ જ્યારે ઇંગ્લૅન્ડથી બૅરિસ્ટર થઈને 1913માં અમદાવાદ આવ્યા ત્યારે તેઓ ગુજરાત ક્લબમાં બેસીને મિત્રો સાથે રાયપુર ભજિયાં હાઉસમાંથી ગરમાગરમ ભજિયાં મંગાવીને તેનો ટેસ્ટ ચા સાથે માણતા હતા. ડૉ. માણેકભાઈએ આવી નક્કર ઐતિહાસિક હકીકતોને અમદાવાદની કલ્ચરલ લાઇફ સાથે સાંકળીને અમદાવાદને સદાબહાર’ બનાવ્યું છે.
આ બૃહદ ગ્રંથ એક વાર હાથમાં આવ્યા પછી છોડવાનું ગમતું નથી. ડૉક્ટરે ઇતિહાસ અને સાંપ્રત પ્રવાહો વચ્ચે મજબૂત અને પ્રેમાળ સેતુ રચી આપ્યો છે. લેખકની વર્ષોની તપશ્ચર્યા ફળીભૂત થઈ છે. આજની પેઢીના દેશ-વિદેશમાં વસતા અમદાવાદીઓ-ગુજરાતીઓ ડૉ. માણેકભાઈ પટેલનાં ઋણી રહેશે. અત્રે એક વાત ખાસ ઉમે૨વાની છે. માણેકભાઈનો આ ગ્રંથ અચાનક રીતે પ્રગટ નથી થયો. અગાઉ તેમણે ઘણા ગ્રંથો ગુજરાતને ચરણે ધર્યા છે. છેલ્લાં ત્રીસ વર્ષ અમદાવાદમય બની સંશોધન કામ કર્યું છે

ડૉ. માણેકભાઈ સાચા અર્થમાં અમદાવાદપ્રેમી છે. અમદાવાદ પ્રત્યેની ‘સેતુ’ની લગની મીરાંબાઈની યાદ અપાવે તેવી તીવ્ર અને ઊર્મિશીલ છે, જાણે મેરે તો ગિ૨ધ૨ ગોપાલ, દૂસરા ન કોઈ’ની મીરાંભક્તિનું રૂપાંતર 21મા સૈકામાં ડૉ. માણેકભાઈ પટેલે કર્યું છે. એમનો અમદાવાદપ્રેમ દાદ માગી લે તેવો છે. ડૉ. પટેલે તેમનું તખ્ખલુસ ‘સેતુ’ આ ગ્રંથ દ્વારા સાર્થક કર્યું છે. આવો ઉત્તમ ગ્રંથ રચવા બદલ ડૉ. માણકભાઈને ખૂબ ધન્યવાદ આપીએ છીએ.

એક બીજી વાત પણ અત્રે ક૨વી જોઈએ. કીમતી હીો સંઘ૨વા માટે એકદમ દળદાર કાસ્કેટની જરૂ૨ પડે જ. આ ગ્રંથ પ્રસિદ્ધ ક૨ના૨ શ્રી મનુભાઈ શાહ પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીના વિખ્યાત કસબી છે. પુસ્તકનો ‘ગેટઅપ’ જોઈને આ કથનનો ખ્યાલ આવશે. શ્રી મનુભાઈ શાહ અને તેમની પ્રકાશનસંસ્થા ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ને પણ અમે ધન્યવાદ પાઠવીએ છીએ.

17-4-2022 અમદાવાદ

ડૉ. શિરીન મહેતા

ડૉ. મકરન્દ મહેતા ગુજરાત યુનિવર્સિટી.

એમિરિટસ પ્રોફેસર

Related Posts

સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી  સર્વવિદ્યાલય કેળવણી મંડળ (કડી)ની ગાંધીનગર શાખાના પ્રમુખ અને વી.પી.એમ.પી. કોલેજના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.
OTHER

સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી સર્વવિદ્યાલય કેળવણી મંડળ (કડી)ની ગાંધીનગર શાખાના પ્રમુખ અને વી.પી.એમ.પી. કોલેજના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

January 27, 2023
NEWS

એચ.એ.કોલેજમાં નેતાજીની ૧૨૬મી જન્મજયંતિ ઉજવાઈ.

January 23, 2023
શાસ્ત્રીય નૃત્યોની ગુરૂ-શિષ્ય પરંપરાનો મહોત્સવ સૂર્યમંદિર, મોઢેરામાં  ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૩ યોજાયો.
OTHER

શાસ્ત્રીય નૃત્યોની ગુરૂ-શિષ્ય પરંપરાનો મહોત્સવ સૂર્યમંદિર, મોઢેરામાં ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૩ યોજાયો.

January 23, 2023
OTHER

उतरायण :- रचनाकार भावना मयूर पुरोहित. हैदराबाद

January 14, 2023
NEWS

શું ઉત્તરાયણ પર્વ પર ઘર નું બનેલું ઊંધિયા ની શોધ માં છો?

January 13, 2023
નરોડા શેલ્બી પર મૃતકના પરિવારજનોએ પૈસા પડાવવાનો લગાવ્યો આરોપ. દર્દી મૃત થતા મૃતદેહ આપવામાં હોસ્પિટલનો નનૈયો   પહેલા પૈસા ભરશે તોજ મૃતદેહ આપવામાં આવશે – હોસ્પિટલ સત્તાધીશો
NEWS

નરોડા શેલ્બી પર મૃતકના પરિવારજનોએ પૈસા પડાવવાનો લગાવ્યો આરોપ. દર્દી મૃત થતા મૃતદેહ આપવામાં હોસ્પિટલનો નનૈયો પહેલા પૈસા ભરશે તોજ મૃતદેહ આપવામાં આવશે – હોસ્પિટલ સત્તાધીશો

January 4, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022

ગુજરાત AAPના નેતાએ મોડલ બનવા માંગતી યુવતી પર આચર્યું દુષ્કર્મ! પોલીસે કરી ધરપકડ.

September 24, 2022

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
પૂર અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો આગેવાનો આગળ આવ્યા

*તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો* *આખી પોસ્ટ વાંચીને તરત જ આગળ રવાના કરજો…* *મફતની સલાહને નકામી સમજશો નહિ…*.

July 15, 2022
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0

My best click. Rajesh Bariya

February 4, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો. : દીપક જગતાપ, રાજપીપલા

February 2, 2023

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ.

January 31, 2023

Recent News

My best click. Rajesh Bariya

February 4, 2023

Total Number of Visitors

0567004
Visit Today : 18
Hits Today : 22
Total Hits : 129395
Who's Online : 2

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

9:00:11 am
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In