Namo News
No Result
View All Result
Saturday, April 1, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં નવલી નવરાત્રીના પહેલા જ નોરતે ખેલૈયાઓ મન મૂકીને મહાલ્યા, કોરોનાકાળના બે વર્ષની કસર પૂરી કરી…

by namonews24
September 28, 2022
0
156
SHARES
2k
VIEWS
Share on FacebookShare on Twitter

namonews24-ads

જામ ખંભાળિયાના

આંબાવાડી ઇન્ટરનેશનલ કલાવૃંદની

બહેનોની કલાથી ગાંધીનગર મંત્રમુગ્ધ

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના ગર્ભગૃહમાં પ્રજ્વલિત દીવામાંથી આણેલી જ્યોતનું ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડમાં સ્થાપન કરવામાં આવે છે.

છેલ્લા 34 વર્ષથી ગાંધીનગરથી પગપાળા અંબાજી જતા જય અંબે પરિવારના સ્વયંસેવકો પહેલા નોરતે અંબાજી જઈને માતાજીની દિવ્ય જ્યોત ગાંધીનગર લાવ્યા હતા.

પહેલા નોરતે સાંજે અંબાજીથી પધારેલી

દિવ્ય જ્યોતનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે જ્યોતિ સ્વરૂપ માં જગદંબાનું ગરબા ગ્રાઉન્ડમાં સ્થાપન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાન્તભાઈ જહા, ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશ લાલા અને અન્ય મહાનુભાવોએ દિવ્ય જ્યોતનું સ્વાગત કર્યું હતું. સમગ્ર નવરાત્રી દરમિયાન આ દિવ્યજ્યોત ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણાંમાં અખંડ પ્રજવલિત રહેશે.

પહેલા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ, પૂર્વ સનદી અધિકારી અને વરિષ્ઠ લેખક-સાહિત્યકાર શ્રી વી.એસ. ગઢવીએ માં જગદંબાની આરતી ઉતારી હતી.

ગાંધીનગર કલ્ચર ફોરમના આંગણામાં જામ ખંભાળિયાના આંબાવાડી (ઇન્ટરનેશનલ) કલાવૃંદના કલાકારોએ માથે બેડાં, દીપમાળા અને માતાજીની માંડવડી લઈને ગરબા કર્યા હતા. સમતુલા, સ્થિરતા અને એકાગ્રતાની પરાકાષ્ઠાસમા આ અજોડ, અણમોલ અને બેનમૂન નર્તને ગાંધીનગરના નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 52 બેડા માથે લઈને બહેનોએ ગરબા કર્યા હતા તો ગોફ નૃત્યનું પણ અદભુત પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી આંબાવાડી કલાવૃંદ, જામખંભાળિયાના સંચાલક શ્રી ડાહ્યાભાઈ નકુમનું ખેસ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

પહેલા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમની પરંપરા અનુસાર શ્રેષ્ઠ ખેલૈયાઓને ઇનામો આપવામાં આવે છે. પહેલા નોરતે બેસ્ટ પર્ફોર્મન્સ (પ્રિન્સ)તરીકે શ્રી નૃપેશ પુરબીયા અને બેસ્ટ પર્ફોર્મન્સ (પ્રિન્સેસ) તરીકે ઈશાની પટેલ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં રનર્સ અપ તરીકે પ્રકાશસિંહ પરમાર અને કથા સુથાર વિજેતા થયા હતા. બ્રિજ બારોટ અને હેમાંગી પટેલ બેસ્ટ પેર રહ્યા હતા. આ કેટેગરીમાં અરુણસિંહ ઝાલા અને દિશા જોશી રનર્સ અપ રહ્યા હતા. પરંતુ રહ્યા હતા. 35 વર્ષથી મોટી વય જૂથના વર્ગમાં બેસ્ટ કિંગ તરીકે કુણાલ શાહ અને બેસ્ટ ક્વીન તરીકે ડૉ. અર્ચના માને વિજેતા થયા હતા. નવદીપ બારોટ અને બેલા શાહ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ કેટેગરીમાં પ્રિન્સ તરીકે સોનુ સુરતી અને પ્રિન્સેસ તરીકે જાનવી રાવલ વિજેતા થયા હતા. સાહિલ રબારી અને પ્રિયંકા પરમાર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર કેટેગરીમાં આયુષ બારોટ અને આસ્થા શાહ વિજેતા થયા હતા. જ્યારે પ્રણિત જૈન અને નિરાલી વ્યાસ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડ કેટેગરીમાં પ્રિયાંશ રજવાણીયા અને તપસ્યા પંડ્યા વિજેતા થયા હતા. જ્યારે વેદ પટેલ અને માન્યતા ભાવસાર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં સમય શાહ અને ઝેન્સી પટેલ વિજેતા થયા હતા. જ્યારે આરવ પટેલ અને નિવી ડણક રનર્સ અપ રહ્યા હતા.

#gcfnavratri2022

Related Posts

અચાનક ક્યાં કારણથી આવે છે હાર્ટએટેક?.
NEWS

અચાનક ક્યાં કારણથી આવે છે હાર્ટએટેક?.

March 31, 2023
ગોસ્વામી તુલસીદાસ : રામનવમી નિમિત્તે જાણી લઈએ રામચરિત માનસનાં રચિયતા ગોસ્વામી તુલસીદાસને.  – ✍🏻રમેશ ગોસ્વામી. “સારથિ”
NEWS

ગોસ્વામી તુલસીદાસ : રામનવમી નિમિત્તે જાણી લઈએ રામચરિત માનસનાં રચિયતા ગોસ્વામી તુલસીદાસને. – ✍🏻રમેશ ગોસ્વામી. “સારથિ”

March 30, 2023
*શ્રી માંડવી દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા નવરાત્રી નિમિતે આનંદ ગરબો યોજાયો. –  રમેશ ગોસ્વામી “સારથિ”
NEWS

*શ્રી માંડવી દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા નવરાત્રી નિમિતે આનંદ ગરબો યોજાયો. – રમેશ ગોસ્વામી “સારથિ”

March 30, 2023
વાગડના ગાગોદર ગામમાં શ્રીરામ કથાનું આયોજન. – રમેશ ગોસ્વામી “સારથિ.”
OTHER

વાગડના ગાગોદર ગામમાં શ્રીરામ કથાનું આયોજન. – રમેશ ગોસ્વામી “સારથિ.”

March 30, 2023
*રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો. – વિજય સિંહ રાજપૂત*
NEWS

*રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો. – વિજય સિંહ રાજપૂત*

March 30, 2023
હું અહીં ગીતાજીના તમામ 18 અધ્યાયોનો સાર માત્ર 18 વાક્યોમાં આપું છું.
NEWS

હું અહીં ગીતાજીના તમામ 18 અધ્યાયોનો સાર માત્ર 18 વાક્યોમાં આપું છું.

March 30, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
ડીવિલિયરસે હાર્દિક પંડ્યાને આપ્યો જીતનો મંત્ર.

ડીવિલિયરસે હાર્દિક પંડ્યાને આપ્યો જીતનો મંત્ર.

March 31, 2023
અચાનક ક્યાં કારણથી આવે છે હાર્ટએટેક?.

અચાનક ક્યાં કારણથી આવે છે હાર્ટએટેક?.

March 31, 2023
ગોસ્વામી તુલસીદાસ : રામનવમી નિમિત્તે જાણી લઈએ રામચરિત માનસનાં રચિયતા ગોસ્વામી તુલસીદાસને.  – ✍🏻રમેશ ગોસ્વામી. “સારથિ”

ગોસ્વામી તુલસીદાસ : રામનવમી નિમિત્તે જાણી લઈએ રામચરિત માનસનાં રચિયતા ગોસ્વામી તુલસીદાસને. – ✍🏻રમેશ ગોસ્વામી. “સારથિ”

March 30, 2023
*શ્રી માંડવી દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા નવરાત્રી નિમિતે આનંદ ગરબો યોજાયો. –  રમેશ ગોસ્વામી “સારથિ”

*શ્રી માંડવી દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા નવરાત્રી નિમિતે આનંદ ગરબો યોજાયો. – રમેશ ગોસ્વામી “સારથિ”

March 30, 2023

Recent News

ડીવિલિયરસે હાર્દિક પંડ્યાને આપ્યો જીતનો મંત્ર.

ડીવિલિયરસે હાર્દિક પંડ્યાને આપ્યો જીતનો મંત્ર.

March 31, 2023

Total Number of Visitors

0587103
Visit Today : 14
Hits Today : 113
Total Hits : 168428
Who's Online : 2

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

7:01:18 am
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In