રાજ્યના પાટનગર એવા ગાંધીનગર માં કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત નવરાત્રી ની સોડમ દેશ વિદેશમાં ફેલાયેલી છે. એમાં પણ કલ્ચરલ ફોરમ ગાંધીનગર ની નવરાત્રી માં આઠમ ની મહાઆરતી તો ખૂબજ પ્રચલિત બની છે. દરેક વખતે આની માટે ખૂબજ કાળજી પૂર્વકનું આયોજન કરવામાં આવે છે. ગઇકાલે આઠમે ત્રીસ હજાર થી વધું દીવડાઓ દ્વારા ઉતારાયેલી આરતી માં અર્ધનારેશ્વર ભગવાન ના બનાવેલા લાઈવ ચિત્ર તો ખરેખર ખૂબજ અદભૂત રહ્યું હતું. કલ્ચરલ ફોરમ ગાંધીનગર ની મહા આરતી ની અદભૂત તસ્વીર..