ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનો શુભારંભ કારતક સુદ અગીયારસ એટલે કે; આગામી તા.4 નવેમ્બર, 2022 થી થઈ રહ્યો છે. જે કારતક સુદ પૂનમ તા.8 નવેમ્બર, 2022 ના રોજ પૂર્ણ થશે! ગત વર્ષે કોરોનાને કારણે મર્યાદિત સંખ્યામાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે કોરોનાનું ગ્રહણ હટી ગયું હોવાથી ગિરનારની લીલી પરિક્રમા માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, જેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે શું તમે આ વર્ષે પરિક્રમા કરવા જવાના છો?
.