ગુજરાત રાજ્ય સરકારના કલા-સંસ્કૃતિ-રમતગમત વિભાગની લલિતકલા અકાદમી તરફથી ૬૨ માં રાજ્ય કલા પ્રદર્શનમાં છબીકલા ક્ષેત્રે પ્રથમ ઇનામ રુ.૧૦,૦૦૦/- નિકોલની રામેશ્વર સ્કૂલના આચાર્ય ડો. હેમંત પંડ્યાને મળેલ છે ….. ગુજરાતને કલાક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર સિનીયર ચિત્રકાર શ્રી વૃંદાવનભાઈ સોલંકી , અમદાવાદની શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના પ્રિન્સિપાલ શ્રી મનહરભાઈ કાપડિયાના હસ્તે લલિતકલાના સચિવશ્રી દેસાઈ સાહેબની ઉપસ્થિતિમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો …..