ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલના નિશ્વાર્થ ફાઉન્ડેશન ધ્વારા કોલેજના હાલના વિદ્યાર્થીઓ કે જે ભારત દેશમાં એચ.એ માંથી બી.કોમ થયા બાદ ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને છેલ્લા ૭ વર્ષથી સ્કોલરશીપ આપવામાં આવે છે. આજરોજ ૬ લાખ રૂપીઆના ચેક ૧૩ વિદ્યાર્થીઓને આપ્યા હતા. અત્યાર સુધી ૫૫ વિદ્યાર્થીઓને લગભગ ૬૩ લાખ રૂપીઆની સ્કોલરશીપ આપી સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. આજ પૂર્વ વિદ્યાર્થી ધ્વારા અમેરીકાની ન્યુજર્સી સિટી યુનિવર્સિટીમાં એમબીએ કરવા માટે એચ.એ.કોલેજના ૧૭ વિદ્યાર્થીઓને સ્પોન્સર કરીને લગભગ ૫ કરોડ રૂપીઆની સહાય કરી છે. જે અકલ્પનીય તથા પ્રશંસાને પાત્ર છે. આ કાર્યક્રમમાં નિશ્વાર્થ ફાઉન્ડેશનના ડાયરેકટર સ્નેહલ પરમાર, જીએલએસના રજીસ્ટ્રાર ભાલચંદ્ર જોષીએ પ્રાસંગોચિત વક્તવ્યો આપ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધ્વારા આટલી મોટી માતબર રકમની સહાય કરવી અદ્દ્ભુત અને અનુકરણીય છે. જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીર નાણાવટીના સહયોગથી ચાલતી આ સ્કોલરશીપનો કાર્યક્રમ સુપેરે ચાલી રહ્યો છે. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.પંકજ રાવલ, પ્રા.મીનાક્ષી વર્મા તથા પ્રા.અલ્પા પાઘડળે કર્યું હતુ.