IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે પોતાના ગાણિતિક ફોર્મ્યુલા મોડલથી કોરોનાની પ્રથમ, બીજી અને ત્રીજી વેવ વિશે જે વાતો કહી તે સાચી સાબિત થઈ છે. ચીનમાં કોરોના વાયરસના BF7 વેરિઅન્ટ વિશે મણીન્દ્ર અગ્રવાલે કહ્યું છે કે ભારતના લોકોએ આ વેરિઅન્ટ સામે લડવા માટે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. આ કારણે ભારતમાં લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. પરંતુ સાવધાની રાખવાની છે.