https://youtu.be/ESIeW0WBOdc.
એચ. એ. કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા
ગરમ ધાબળાનું વિતરણ થયું
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. યુનીટ ધ્વારા શહેરના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને શીયાળાની સખત ઠંડીમાં ઠુઠવાતા લોકોને ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે માનવ સેવા એજ માધવ સેવા છે. સમાજનો એવો વર્ગ જે ખરેખર ગરીબાઈમાં સબડતો હોય છે આવા લોકો પ્રત્યે કરૂણા, પ્રેમ તથા કૃતજ્ઞતા રાખી સેવા કરવી જોઈએ. કોલેજના વિદ્યાર્થી તથા સ્ટાફના સ્વયંભુ રીતે મળેલી આર્થીક મદદથી ૨૦૦થી વધુ ધાબળા આપવામાં આવ્યા હતા. યુવાવસ્થાથીજ સેવાકીય પ્રવૃત્તિઓમાં યુવાનોને જોતરવા જોઈએ જેથી સમાજમાં સંવેદનશીલતાનું નિર્માણ થાય. એન.એસ.એસ. વિભાગ તથા એન.સી.સી. યુનીટના કોઓર્ડીનેટર પ્રા.એચ.બીચૌધરી, પ્રા.મહેન્દ્ર વસાવા તથા પ્રા.ચેતન મેવાડાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. આવા સેવાકીય કાર્ય કરવામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ પોતાની નિસ્બત બતાવી હતી.