લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારી કરી રહેલી ભાજપ સોશિયલ એન્જિનિયરિંગને લઈને માસ્ટર સ્ટ્રોક લગાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચોંકાવનારા નિર્ણયો લેવામાં માહિર ભાજપ દેશમાં દલિત મતોને આકર્ષવા માટે અયોધ્યાના રામ મંદિરમાં દલિત પુજારી અને રસોઈયાની નિમણૂક કરી શકે છે. જો કે, તેની ઉચ્ચ સ્તરેથી ઔપચારિક પુષ્ટ્રી કરવામાં આવી નથી પરંતુ અયોધ્યાના મઠો અને મંદિરોમાં ચકચાર મચી ગઈ છે.
જાતી વ્યવસ્થા અંગે સંઘના વડા મોહન ભાગવતના તાજેતરના નિવેદનથી આ ચર્ચાને વેગ મળ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ જાતી વ્યવસ્થા અંગે પોતાના અભિપ્રાયો વ્યકત કર્યા છે. હાલ કેટલાંક સમયથી જાતીને લઈને સમાજ અને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રા જાણકારી મુજબ કેન્દ્ર સરકાર સમાજમાં ઉદાહરણ પુરુ પાડવા માટે દલિત રસોઈયા અને પુજારીની નિમણૂક કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૧ જાન્યુઆરી–૨૦૨૪ના રોજ જયારે મોદી અયોધ્યા આવશે તે જ દિવસે મંદિરના પૂજારી અને રસોઈયા તરીકે દલિત વ્યકિતની નિમણૂક કરી શકે છે.
ગત કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં ઓબીસીનું પર્યા પ્રતિનિધિત્વ મેળવ્યા બાદ તેમજ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્ર્રપતિ બનાવ્યા બાદ ભાજપ દેશના ૧૫ કરોડથી વધુ ૧૬ ટકા દલિત મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે આ પહેલા વિશ્ર્વ હિન્દુ પરિષદે દલિત સમુદાયના કામેશ્ર્વર ચૌપાલના હસ્તે રામમંદિરનો શિલાન્યાસ કર્યેા હતો ચૌપાલ હાલમાં ટ્રસ્ટના સભ્ય છે.
રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના મહામંત્રી અને વિશ્ર્વ હિન્દુ પરિષદના વરિ નેતા ચંપત રાયએ નિમણૂકની વાતને ટાળતા જણાવ્યું હતું કે, આ એક બુધ્ધી વિલાસ છે ભવિષ્યમાં શું થશે શું નહીં તેની કોઈને પણ ખબર નથી.
અયોધ્યાના કેટલાંક સાધુ સંતો આ બાબતે જાહેરમાં બોલતા નથી પરંતુ અંગત વાતચીતમાં આ બાબતે નારાજગી વ્યકત કરી રહ્યા છે.
Suresh vadher
9712193266