કોરોના પહેલા આટલી મોટી સંખ્યામાં બીમારી ક્યારેય ફેલાઈ નથી.
કોરોના વાઈરસથી હ્રદય, ફેંફસા, ગળુ તેમજ શરીરના વિવિધ અંગો પર અસર જોવા મળે છે
વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા પછી આજે લોકોમાં નવી નવી બીમારીઓ પેદા થઈ રહી છે. તેમા પણ ખાસ કરીને ભારતના લોકોમાં બીમારી વધી રહી છે. બે દિવસ પહેલા જ વર્લ્ડ હેલ્થ ડે ઉજવાયો. જો કે આ દિવસની દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે. અને જેમાં સ્વાસ્થય પ્રત્યે જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે આ વખતે વર્લ્ડ હેલ્થ ડે ‘Health for all’ ની થીમ પર ઉજવવામાં આવ્યો હતો. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના ફરી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે આ વાઈરસને પહેલા ખતરનાક માનવામાં આવતો હતો પરંતુ હવે કોરોનામાંથી પસાર થયા બાદ લોકોને તેનો વધારે ડર રહ્યો નથી. પરંતુ કોરોનાથી સતર્ક રહવુ જરુરી છે કારણ કે હાલમાં મોટાભાગના લોકોને વિવિધ પ્રકારની બીમારીઓ પેદા થઈ રહી છે.
કોરોના પહેલા આટલી મોટી સંખ્યામાં બીમારી ક્યારેય ફેલાઈ નથી.
લોકોના સ્વાસ્થય બાબતે ઘણા લાંબા સમયથી કોરોના ગયા પછી બીમારીની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ તે કોરોનાની રસીના કારણે આવુ થઈ રહ્યુ છે તે કહેવું અઘરુ છે. પરંતુ તે વાત પર મનાઈ કરી શકાય તેમ પણ નથી. કારણ કે કોરોના પહેલા આટલી મોટી સંખ્યામાં બીમારી ક્યારેય ફેલાઈ નથી.
કોરોના વાઈરસથી હ્રદય, ફેંફસા, ગળુ તેમજ શરીરના વિવિધ અંગો પર અસર જોવા મળે છે
તાજેતરમાં થયેલા એક રિસર્ચ મુજબ આ કોરોના વાઈરસથી હ્રદય, ફેંફસા, ગળુ તેમજ શરીરના વિવિધ અંગો પર તેનો પ્રભાવ પડ્યો છે. અને આ બીમારીના કારણે હાલમાં જે લોકો બીમાર છે તેમની સારવાર કરવી ઘણી મુશ્કેલ થઈ રહી છે.
આ પ્રકારની બીમારી કોરોના લોકોમાં વધુ પડતી જોવા મળે છે.
1. માનસિક અશાન્તિ
જેમા ચિંતા, અસ્વાદ, યાદશક્તિ અને કોન્સનટ્રેશન જેવા માનસિક બીમારીઓ જોવા મળે છે. માનસિક રીતે માણસમાં ચિંતા વધી ગઈ છે અને સતત નવા નવા વિચારો કર્યા કરતો હોય છે.
2. કેન્સર
કોવીજ 19 કેટલાય પ્રોટીનને લક્ષ્યમાં લે છે. એટલા માટે સંક્રમિત થયેલા લોકોને કેટલાય પ્રકારના કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
3. શ્વાસની તકલીફમાં વધારો
કોરોના લાંબા સમય સુધી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, માથામાં દુખાવો થવો જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક કિસ્સામાં લોકોને અસ્થમાં જેવી બીમારી પણ થાય છે.
4. બ્લડ પ્રેશર
સંશોધનમાં જાણવા મળ્યુ કે લોકોને વિવિધ પ્રકારના હાઈબ્લડપ્રેશરની સમસ્યામાં મોટા પાયે વધારો જોવા મળે છે.
5.હ્રદયરોગ
કોવીડ 19 પછી હ્રદય રોગની બીમારી વધી ગઈ છે. હ્રદયરોગ, સ્ટ્રોક વગેરે પ્રકારના રોગ પેદા થાય છે. સંશોધન મુજબ હ્રદયરોગની બીમારી આજકાલ નાની ઉંમરના લોકોમાં જોવા મળે છે.
6. ડાયાબિટીશ
કોવીડ 19 કેટલાક સર્વમા જોવા મળ્યુ કે લોકોને ડાયાબિટીશ જેવી બીમારીઓ વધવા લાગી છે.
7. દમ (અસ્થમા)
કોરોનાથી પીડીત લોકોને ઓક્સીજન લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. આ સાથે લોકો ચાલી શકતા નથી તેમજ લોકોને વારંવાર દમ ચડી જાય છે
8. ક્રોનિક ડિસીસથી કેવી રીતે બચો
કોવીડ 19 પછી લોકોને મોટાભાગે શ્વાસ લેવામાં વધારે તકલીફ પડતી હોય છે. સીઓપીડીમાં તમને નિમોનીયા થવાનો ડર રહ્યા કરે છે.તેના સામાન્ય લક્ષણો જોવા મળે છે.
આ આઠ પ્રકારની બીમારીઓ કોરોના પછી વધી રહી છે. જેમા તેની સામે રક્ષણ મેળવવા માટે હેલ્દીફુડ ખાવાનું શરુ કરવુ હિતાવહ છે. આ સાથે નિયમિત પણે કસરત કરવી અને વ્યાયામ, યોગ, પ્રાણાયામ કરવો જરૂરી છે.
Suresh vadher
9712193266