પંજાબી સિંગર સિદ્ધ મૂસેવાલાની હત્યા બાદ હવે પંજાબી સિંગર મનકીરત ઔલખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મનકીરતે પંજાબ સરકાર પાસે સુરક્ષા માંગી છે. તેનું કહેવું છે કે તેને બંબીહા ગેંગ તરફથી આ ધમકીઓ મળી રહી છે. દવિન્દર બંબીહાના પેજ પર સિદ્ધ મુસેવાલાની હત્યા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ થઈ હતી, જેમાં દાવો કરાયો હતો કે મુસેવાલાની હત્યામાં મનકીરતનો હાથ હતો.
