મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરસભા સંબોધી જેમાં ગુજરાત સરકાર અને સી.આર.પાટીલ પર પ્રહારો કર્યા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલમાં મારું નામ લેવાની હિંમત નથી. સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે. મહાઠગ હું નથી પણ સી.આર.પાટીલ પોતે છે.
