કથા મારો શ્વાસ પણ છે વિશ્વાસ પણ છે.
પોથીના પાનાથી જીવું છું,ફેફસાથી નહીં.
દાદાની કૃપાથી રામને થોડો જાણ્યો અને થોડો માણ્યો છે એ વહેંચવા કથા કરું છું.
રહેવાતું નથી એટલા માટે કથા કરું છું.
ચોથા દિવસની કથા આરંભે એક પ્રશ્ન હતો કે સૃષ્ટિ ક્યારે ઉત્પન્ન થઈ?એને ધારણ કરનાર કોણ છે અને જગતનું સંચાલન કરનાર અધ્યક્ષ કોણ છે?બાપુએ કહ્યું કે આપને વિનય કરું કે શોધો,થોડુંક સંશોધન કરો ઋગ્વેદમાં એક નાસદીય સૂત્ર છે જે વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય એવો કરે છે કે વિશ્વમાં એવું કોઈએ કર્યું નથી-એ સૂત્રમાંથી આપને આ જવાબો મળી રહેશે.આ જગતને કોણે ઉત્પન્ન કર્યું એની કોઈને ખબર નથી.કોણે ધારણ કર્યું એ પણ કોઈને ખબર નથી.હું આ સૂત્ર મુજબ કહું છું.બાપુએ જણાવ્યું કે હું કથા શું કામ કરું છું?હું બીજા કામ પણ કરી શક્યો હોત!તુલસીદાસજીએ પોતાના વિશે કહ્યું કે મારું મન રાંક છે અને મારો મનોરથ રાજા છે શા માટે કથા કરું છું?કારણ કે મારા અંતઃકરણને સુખ આપવા માટે-સ્વાન્ત: સુખાય-એ તુલસીનો પહેલો મનોરથ છે,બીજો મનોરથ મનને બોધ આપવા માટે અને મારી વાણીને પવિત્ર કરવા માટે કથા કરું છું.તુલસીને આટલા મનોરથ હોય તો આપણે જીવ છીએ.મારે ઘણા જ મનોરતો હશે મારું ગુજરાન થઈ જાત,પણ શું કામ કથા કરું છું? બાપુએ ગાંધીજીનો ઓરિસ્સાનો કિસ્સો કહ્યો કે જ્યાં વસ્ત્ર વગર લોકો હેરાન થતાં જોઈ અને ગાંધીબાપુએ વસ્ત્ર ત્યાગ અને ખાદી વણવાની શરૂઆત કરી.મારા ઘણા મનોરથમાં એક મનોરથ છે મારા બુદ્ધપુરુષનો સાંકેતિક આદેશ હતો.છેલ્લા ત્રણ દિવસની બીમારીમાં એનો જમણો હાથ ઊંચો થયો, બેટા!તું રામ ગુણગાન ગાજે.એના આદેશથી કથા કરું છું,કોઈની ફરમાઈશથી કરતો નથી.
કથા મારો શ્વાસ પણ છે વિશ્વાસ પણ છે.પોથીના પાનાથી જીવું છું,ફેફસાથી નહીં.દાદાની કૃપાથી રામને થોડો જાણ્યો અને થોડો માણ્યો છે એ વહેંચવા કથા કરું છું.રહેવાતું નથી એટલા માટે કથા કરું છું.કદાચ મારા શ્રોતાઓમાં વિશેષ સત્ય,પ્રેમ અને કરુણા પ્રગટ થાય એટલા માટે કથા કરું છું.આપણા જીવનકાળમાં જોયું છે અકારણ કેટલા બધા અત્યાચારો થયાં, એના પ્રાયશ્ચિત રૂપે કથા કરું છું.અને ઘણા બધા માધ્યમો છે પણ રામને કોઈએ પ્રધાનતા નથી આપી એટલા માટે કથા કરું છું.
બાપુએ કહ્યું હનુમાનજીના જીવનમાં આઠ મનોરથ છે એવું આનંદ રામાયણ કહે છે: રામનામ,રામકામ, ચિત્તમાં રામનુંધામ,રામશ્રવણ,રામસેવા,રામ દર્શન, બીજાનું પ્રાણબળ વધારવું,સાધુ-સંતોનું રક્ષણ અને દુરિતનો નાશ કરવો એ મનોરથો હનુમાનજીના છે. આનંદ રામાયણ કહે છે કે હનુમાનજીનો આશ્રય કરવાથી શરીરમાં રોગ રહેતો નથી,વાણીનો ધોધ છૂટે છે અને કંઠમાં અમૃતનો વાસ થાય છે. હનુમાનજી સાથે આઠનો અંક ઘણીબધી રીતે જોડાયેલો છે. રામચરિત માનસમાં ઘણા પાત્રો મળે છે કોઈનો મનોરથ કામપ્રધાન,કોઈનો દુષ્ટતા ભરેલો,કોઈનો રજોગુણી મનોરથ.પણ કૌશલ્યાનો મનોરથ ગુણાતિત છે.આપણે મનોરથ કરવાને બદલે આપણો બુદ્ધપુરુષ આપણા માટે મનોરથ કરે એ બીજ પકડી લઈએ.
આજે રામ જન્મના કારણો અને વિવિધ હેતુઓની ચર્ચા કરી સમગ્ર વિશ્વને રામજન્મની વધાઈ સાથે કથાને વિરામ અપાયો.