લવ,નિમેષ,પરમાણુ,યુગ,વરસ,કલ્પ-કાળરૂપી ધનુષ્ય ઉપર રામ જે બાણ ચડાવે એ સંવત્સર છે.
રામાયણનો પાઠ ફળ માટે નહીં,રસ માટે કરો,રુચિથી કરો.
ખાંડાથી ચાલી રહેલી રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું કે પહેલા પુરુષાર્થ કરો પછી પ્રારબ્ધને શરણે જાવ.સીતાજીએ દુર્ગાસ્તુતિ કરી.રુકમણીએ કૃષ્ણ જેવો કૃષ્ણ પ્રાપ્ત કરવા દુર્ગાની સ્તુતિ કરી. બિનતી સુનિય નાથ હમારી…
બાપુએ જણાવ્યું કે પ્રાર્થનામાં પાંચ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ:એક-પાતકી શબ્દો-અપ શબ્દો ન આવવા જોઈએ.નહીં અસત્ય સમ પાતક દુજા બે-પ્રભાવક શબ્દો નહીં પણ સ્વાભાવિક શબ્દો આવવા જોઈએ.ત્રણ-શબ્દનો ત્રીજો ધર્મ છે:શબ્દ પ્રેરક હોવો જોઈએ,જેનાથી મૂર્તિ પણ હલી જાય. ચાર-શબ્દ પાવક,પવિત્ર હોવો જોઈએ.એની પાસે મોટા-મોટા શબ્દની જરૂર નથી.અને પીંચ-પ્રાર્થનામાં પારમાંર્થિક શબ્દ હોવો જોઈએ.આ ધ્યાન રાખવાની જરૂર છે.
આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં શું રાખવું જોઈએ એની વાત કરતા બાપુએ કહ્યું કે પાદુકા રાખવી.અને વ્યક્તિની નહીં,પરમતત્વ જ પાદુકા છે. પરમની,સમર્થની પાદુકા રાખવી જોઈએ.પાદુકા પ્રહરી છે.એની આપણે શું પૂજા કરી શકીએ!પાદુકા જ આપણી ચાકરી કરે છે.ભરત પાસે પાદુકા એ પ્રજા પ્રાણના બે ચોકીદાર છે.બાપુએ જણાવ્યું કે પાંચ વસ્તુ બે-બે રાખવી જોઈએ.જેમાં:૧-પાદુકા જોડીમાં એટલે કે બે રાખવી.૨-એ જ રીતે જે મંદિરમાં આપણે દીવો કરતા હોઈએ ત્યાં હંમેશા બે દીવા કરવા.કારણકે આપણી ઉપાસના જુગલ, યુગલની છે.૩-બે ગ્રંથો રાખવા:રામચરિત માનસ અને ભગવદ્ ગીતા.અથવા આપણા જે પણ સદગ્રંથો હોય એ.પરંતુ રામાયણ ગીતા મારી અંતર આંખો,હરિએ દીધી છે મને ઉડવાની પાંખો..
કદાચ વાંચતા ન આવડતું હોય તો પણ રામાયણ રાખવું અને દિવસમાં એક વખત એનું દર્શન કરી લેવું જોઈએ કારણ કે એ આપણી આંખો છે.અને જ્યારે વાંચવાનું મન થાય તો સમજવું કે આંખોને હવે પાંખો આવી છે!૪-બે માળાઓ રાખવી.એક પહેરવા અને એક જાપ કરવા.એટલે કે એક તુલસીની માળા અને એક રુદ્રાક્ષની માળા રાખવી.બાપુએ કહ્યું કે બધી જ સંસ્થા,આસ્થાઓ અને બધી જ દીવાલો ખતમ નહીં થાય ત્યાં સુધી સત્ય નહીં મળે.મારા નામે કોઈ બેરખા આપવાનું શરૂ ન કરતા.હું કંઠી બાંધવા નથી નીકળ્યો.જેને રુચિ હશે એ લઈ જશે.હવે કોઈ નવું ગ્રુપ ઊભું કરવું નથી કારણ કે ગ્રુપ ઊભું કર્યું હશે એમાં પણ પાછા ગ્રુપો ઉત્પન્ન થતા જશે!રુચિ હોય એ આવશે.પ્રચાર માટે કંઈ ન કરતા કારણ કે હું બાવળને સંભળાવનારો માણસ છું મારે ભીડની કંઇ જરૂર નથી.૫-મંત્ર બે અક્ષરનો:રામનામનો અથવા તો આપણને જે પણ રુચિ હોય એ મંત્ર રાખવો.આમ બધું મળી અને દસ વસ્તુ તમારા ઘરમાં હશે તો દશેય અવતાર ઘરમાં રાસડા લેતા હશે.
લવ,નિમેષ,પરમાણુ,યુગ,વરસ,કલ્પ કાળરૂપી ધનુષ્ય ઉપર રામ જે બાણ ચડાવે એ સંવત્સર છે.એવું લંકાકાંડમાં તુલસીજી લખે છે.સમયનું નાનામાં નાનું માપ લવ છે,ક્ષણ માત્ર.અને નિમિષ એટલે આંખનો પલકારો,એટલો જ સમય.
વેદના ઘણા પાઠ-જેમ કે ઘનપાઠ વગેરે છે પણ મુખ્ય ત્રણ પાઠ ગણાયા છે:સંહિતાપાઠ,પદપાઠ અને ક્રમપાઠ.સંહિતાપાઠ-સંહિતાને ગાવી પડે.આ જે પણ અલગ-અલગ રીતે ગાઈએ છીએ એ સંહિતાપાઠ છે. પદપાઠમાં ગાવાની જરૂર નથી પણ શુદ્ધ રીતે જે લખાયું છે એ પદનો પાઠ કરવાનો છે.અને ક્રમપાઠમાં એક પછી એક ક્રમમાં વિશ્રામ લેતા-લેતા જે પાઠ કરાય.રામચરિતમાનસ લોકવેદ છે.આ સપ્તમ દર્શન છે.વેદ શ્લોકવેદ છે.બ્રહ્માના ચાર વેદ,ચાર મુખમાંથી થયેલો વિસ્તાર છે અને શિવના પંચમુખમાંથી પ્રગટેલો આ વેદ રામચરિતમાનસ લોકવેદ છે.આ રામચરિતમાનસ ન હોત તો આપણે જીવતા ન હોત! રામાયણનો પાઠ ફળ માટે નહીં,રસ માટે કરો,રુચિથી કરો.
હનુમાનજી કહે છે કે રામ ભરતની રુચિ જાણી શક્યા નહીં.કારણકે સમુદ્ર સાથે ચાર વસ્તુ થઈ: સમુદ્રને બાંધ્યો રામે,સેતુબંધ કર્યો.તેને મથ્યો,મંથન કર્યો દેવતાઓએ.સમુદ્રને પી ગયા અગસ્ય.પણ એને કૂદી ગયા,લાંઘી ગયા હનુમાનજી.
પણ આ ભરતરૂપી મહાદરિયો;એને કોઈ બાંધી શક્યા નહીં,એને કોઈ પી શક્યા નહીં,એને કોઈ લાંઘી શક્યા નહીં,એને કોઇ મથી શક્યા નહિ.