અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. કહેવાય છે કે, ભગવાન શિવે બ્રહ્મહત્યાના દોષથી મુક્ત થવા અહીંયા હજારો દેવો અને ગાંધર્વો સાથે કુંડની સ્થાપના કરી હતી, જેમાં શિવજીનો અભિષેક કરાયા બાદ ભગવાન શિવ અહીંયા ધ્યાનમગ્ન થયા હતા. ત્યારબાદ આ રૂદ્રકુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગ દૂર થવાની માન્યતા છે. તેથી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા દૂર-દૂરથી ભક્તો અહિયાં આવે છે.