ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા G20 સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ અનુસંધાનમાં આજરોજ કોલેજ ધ્વારા “ક્લાયમેટ ચેન્જ” વિષય ઉપર ગૃપ ડીસ્કશનનું આયોજન થયુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા રજૂ થયેલા વિચારોમાં સૌથી કોમન બાબત એ હતી કે સૌ પ્રથમ આપણે આપણી જરૂરીયાતો ઓછી કરવી પડશે. નેચરલ રીસોર્સીસનો હાલમાં વિકસીત દેશો ધ્વારા બેફામ રીતે ઉપયોગ થઇ રહ્યો છે. આપણી ભૌતીક સુખોના સંસાધનોનો યુઝ ઘટાડી ભવીષ્યની પેઢી માટે સ્વચ્છ વાતાવરણ તથા પ્રદુષણમુક્ત વિશ્વ રાખવુ પડશે. ભૌતીક સુવીધાઓની ભૂખ વધતી જાય છે જેનાથી નેચરલ રીસોર્સીસ ખુબ ઝડપથી ખતમ થતા જાય છે જે માનવજાત માટે ખતરો છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વસતી વધારો, પ્રદુષીત નદીઓ, હવામાં કાર્બન મોનોક્સાઈડનું વધુ પ્રમાણ, પેસ્ટીસાઈડનો વધુ ઉપયોગ તથા પ્લાસ્ટીકના ઉપયોગથી વાતાવરણ પ્રદુષીત થાય છે. જેનાથી માનવ જાત ઉપર મહારોગોએ ભરડો લીધો છે. આ સમગ્ર બાબત ઉપર ગંભીરતાથી વિચારી લોકજાગૃતિ ઉભી કરવી પડશે જેથી પર્યાવરણની જાળવણી થઇ શકે. આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રા.મહેશ સોનારા તથા પ્રા.ઉર્મિલા પટેલે કર્યું હતુ.