પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ‘અખિલ ગુજરાત શિવજયંતી મહોત્સવ’ મનાવવામાં આવી રહેલ છે. જે અંતર્ગત તા.૧૦ થી ૧૩ ફેબ્રુઆરી, દરમ્યાન ગણેશ હાઉસીંગ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પિટલ પાસે, એસ.જી. હાઈવે, થલતેજમાં ‘શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
પરમાત્મા શિવનું ભારતભૂમિ પર થયેલ દિવ્ય અવતરણની યાદગાર એ જ મહાશિવરાત્રી-૮૭મી ત્રિમૂર્તિ શિવજયંતી છે. શિવરાત્રીના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત ઉત્સવ અંતર્ગત શિવદર્શન નગરી બનાવેલ છે, જેમાં ૧૨ જ્યોતિર્લિંગમ દર્શન, સ્વર્ણિમ ભારત દર્શન, વેલ્યુ ગેમ્સ, રાજયોગ પ્રદર્શન અને શાંતિ અનુભૂતિ કક્ષ જેવા આકર્ષણના કેન્દ્ર બની રહેશે. તથા ૩૫ ફૂટ ઊંચા શિવલિંગના દર્શન પણ રહેશે.
આ શિવદર્શન નગરીનું શુભ ઉદ્ઘાટન આજે ૧૦ ફેબ્રુઆરી સાંજે ૬.૦૦ વાગે શહેરના અગ્રણી મહાનુભાવો શ્રી કૌશિકભાઈપટેલ (પૂર્વ મહેસૂલ મંત્રી, ગુજરાત રાજ્ય), શ્રી શૈલેષભાઈ પરમાર (ધારાસભ્ય-દાણીલીમડા), શ્રી મોહિત ત્રિપાઠી (એડિશનલ કમિશ્નર-જીએસટી), શ્રી સતીષભાઈ શાહ (પ્રેસિડેન્ટ-અમદાવાદ એજ્યુકેશન ગૃપ), સવજીભાઈ વસાણી (જાણીતા સોશ્યલ વર્કર), શ્રી નિર્ણય કપૂર (ગુજરાત રીજીઅન હેડ, ઇન્ડિયા ટી.વી.)ના દ્વારા થશે.
જીવનમાં સુખ-શાંતિની અનુભૂતિ માટે તારીખ ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરરોજ સવારે ૬.૩૦ થી ૮.૦૦ રાજયોગ શિબિરનું આયોજીત કરેલ છે. શિવજયંતી મહોત્સવના આ વિવિધ કાર્યક્રમોમાં સર્વ નગરજનોને પધારવા હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે.
શિવજયંતી મહોત્સવમાં તારીખ ૧૩ ફેબ્રુઆરી સોમવારે સાંજે ૫ કલાકે દિવ્ય મહોત્સવનું આયોજન છે. જેમાં આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાનીબેન ‘સ્વર્ણિમ ભારતની સંકલ્પના’ પર મૂલ્યવાન વિચારો રજૂ કરશે. જેમાં અભ્યુદય શિવ અવતરણ નૃત્યનાટિકાનું કલાકારો દ્વારા રજુ થશે. દિવ્ય મહોત્સવમાં પધારવા માટે બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્રો પર જરૂરી રજીસ્ટ્રેશન કરાવી ‘પ્રવેશ પાસ’ મેળવવો અનિવાર્ય છે.