દુનિયાભરમાં પ્રયોગ તો ઘણા જ થઈ રહ્યા છે પરંતુ પ્રયાગ-સમન્વયની પણ હવે જરૂર છે.
પાવન ભૂમિ રુદ્રપ્રયાગથી પ્રવાહિત રામકથાના પાંચમા દિવસે પતંજલિ યોગપીઠવાળા બાબા રામદેવ આવ્યા અને તેઓએ પોતાનો વક્તવ્ય ભાવ રજૂ કર્યો.
બાપુએ તેમના તરફ સદભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે આ માત્ર આત્મીય સંબંધ નહીં,પરમ આત્મીય સંબંધ છે.બાપુએ કહ્યું કે:આઈ એમ ઓલવેઝ એન્ડ ઓલ વે,વિથ યુ.વિશ્વનાથના પ્રતિનિધિ સતુઆ બાબા પણ આવ્યા.
બાપુએ જણાવ્યું કે દેશમાં મારી દ્રષ્ટિમાં આજે બે કટોકટી દેખાય છે:લોકોની સહનશીલતા ઓછી થતી જાય છે.અને સંવેદનશીલતા પણ ઘટી રહી છે.
ગુજરાત સ્થાપના દિન રવિશંકર મહારાજે દીપ પ્રાગટ્ય કરતા કહ્યું કે પ્રજાનું પોષણ થાય,શોષણ ન થાય બસ એટલું જ.અને દુલાભાયા કાગે એક ગીત લખીને એને વધાવ્યું.કાગે લખ્યું કે:કાગે એક બ્રાહ્મણ ભાળ્યો,ખભે છે ઉચાળો.. એવા ગુજરાતના સ્થાપના દિન પર ખૂબ-ખૂબ અભિનંદન.
બાપુએ કહ્યું કે પાંડવો પાંચ હતા અને કૌરવ સો હતા પણ આજે જ્યારે કળિયુગમાં સાધુતા ખીલી રહી છે એ વખતે એની સાથે,સદભાવ લાથે,સો લોકો છે અને એના આલોચક ટીકાકાર પાંચ છે,ક્રમ બદલી ચુક્યો છે.
શિવપુરાણમાં ભગવાન શિવના ૧૦ અવતાર બતાવ્યા છે.એમાંનો એક અવતાર મહાકાલ છે અને એની ગૃહિણીનું નામ મહાકાલી છ.જોકે શિવ અજન્માં છે પણ એના અંશના રૂપે અવતારો થયેલા છે.વેદ અને શાસ્ત્રના ઓછામાં ઓછા ત્રણ અર્થ તો થવા જ જોઈએ,એથી વધારે અર્થ પણ થઈ શકે. ઋગ્વેદમાં એક સૂક્ત છે:નિદ્રાસૂક્ત.જેમાં સૌ પ્રથમ એક શ્વાનને સુવડાવી દેવાની વાત કરી છે. અહીં પણ શ્વાન એટલે કૂતરો જ નહીં પણ એના ઓછામાં ઓછા ત્રણ અર્થ તો નીકળે જ છે.
આરઝૂ થી કી એકબાર મુજે મેરી આંખો સે દેખતા કોઈ.
મૈને મસ્જિદ મેં જાના છોડ દિયા,રોજ મિલ જાતા થા ખુદા કોઈ.
આ જ નિદ્રાસૂક્તમાં છેલ્લે ચાર સ્ત્રીઓને સુવડાવવાની વાત કરી છે.એક સ્ત્રીને ફળિયામાં સુવડાવી દો,બીજી સ્ત્રીને એક ખાટલા ઉપર,ત્રીજીને પલંગ સાથે અને ચોથી સ્ત્રી-એનું નામ પુણ્યગંધા બતાવ્યું છે-એને બધાથી ઉપર સુવડાઓ!એવી વાત કરી છે ત્યારે એના અનેક અર્થ નીકળે.શ્વાન એટલે શ્વાનવૃત્તિ.આવી વૃત્તિ સુષુપ્ત કરી દઈએ તો સમાજ વિશ્રામ કરી શકે.એમ સ્ત્રી બાબત પણ આવા અનેક અર્થો કાઢી શકાય છે.
માનસરોવરના ચાર ઘાટ છે અને જ્યાં સ્વર્ગ પણ ફિક્કૂં લાગે.એ જ રીતે રામચરિતમાનસના પણ ચાર મનોહરઘાટ બતાવ્યા છે:જ્ઞાનઘાટ-કે જે કૈલાશ ઉપર છે,ત્યાં શિવ અને પાર્વતી વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે બીજો ઉપાસનાનો ઘાટ-ભૂશુંડિ તાલ ઉપર જ્યાં કાગ ભુશુંડિ અને ગરુડ વચ્ચે સંવાદ ચાલે છે.ત્રીજો કર્મનો પુરુષાર્થનો ઘાટ,પ્રયાગ,સતત વહેતી નદીઓ કે જ્યાં ભરદ્વાજ મુનિ અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે અને ચોથો શરણાગતિનો-તુલસીનો ઘાટ જ્યાં તુલસીજી અને સંતસભા અને તુલસી અને એના મન વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે.
બાપુએ કહ્યું કે દુનિયાભરમાં પ્રયોગ તો ઘણા જ થઈ રહ્યા છે પરંતુ પ્રયાગ સમન્વયની પણ હવે જરૂર છે. યાજ્ઞવલ્ક ભારદ્વાજને પૂછે છે કે સંત,પુરાણ અને ઉપનિષદમાં રામનામનો મહિમા છે પણ મને સંશય એ કારણથી થઈ રહ્યો છે કે અવિનાશી શંભુ સતત એનો જાપ કરી રહ્યા છે.એ રામ આ જ કે બીજા છે? એક રામની મને ખબર છે જે દશરથના ઘરે પુત્રરૂપે જન્મ્યા છે,તેનો જનકપુરમાં વિવાહ થયો છે અને જેની પત્નીનું રાવણે અપહરણ કર્યું એ ઐતિહાસિક રામ વિશે હું જાણું છું પણ મને આધ્યાત્મિક રામ,એ એક જ છે કે બીજા એના વિશે કહો.
આમ રામકથા વિશે પૂછે છે અને ત્યાં સમન્વય બતાવવા માટે શિવકથાથી શરૂઆત કરવામાં આવે છે.
ગુજરાત સ્થાપના દિન પર બાપુએ વૈશ્વિક વધાઇ પાઠવી
આજે ગુજરાત સ્થાપના દિન અને મહારાષ્ટ્ર દિવસ ઉપર ગુજરાત,ભારત વર્ષ અને દુનિયાને વધાઈ આપતા બાપુએ કહ્યું કે આ ગુજરાતના સ્થાપના દિવસ ઉપર એક સાધુ ચરિત રવિશંકર મહારાજે દીપ પ્રાગટ્ય કર્યું હતું.બાપુએ જણાવ્યું કે કોઈ સાધુ દીપ પ્રજ્વલિત કરે છે ત્યારે તેને બુઝાવવાની ત્રણ પ્રકારે ચેષ્ટા થતી હોય છે:
છલ બલ કલ કરિ જાહી સમીપા;
અંચલ બાત બૂઝાવત દીપા.
છળથી,બળથી અને કળથી દીપ બૂઝાવવાની ચેષ્ટા થતી હોય છે.
આ ગુજરાત કે જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથસ તેમજ દ્વારિકાધીશ,ગિરનાર અને દયાનંદ સરસ્વતી,નરસિંહ મહેતા,રવિશંકર મહારાજ, ગાંધીજી,સરદાર પટેલ અને અનેક મહાનુભાવોનું સ્મરણ કરતાં બાપુએ કહ્યું કે જેની પાસે મણિકાનો પ્રકાશ છે એનો દીપક કોઈ બુઝાવી શકતું નથી.