રુદ્રપ્રયાગની સંગમભૂમિ ઉપર ચાલી રહેલી રામકથાના આઠમા દિવસે બે મહત્વની વાત બાપુએ કહી.ઉત્સાહવર્ધક,ઉપસ્થિત ઉપસ્થિત મહાનુભાવો અને પહાડી જનતાને પ્રણામ અને આદર સાથે કથાનો આરંભ કર્યો.
આજે મહાપ્રભુજી વલ્લભાચાર્ય ભગવાનની પ્રાગટ્ય તિથિ.ચંપારણ્યમાં તેઓ પ્રગટ થયા.આજના દિવસે એક મોટા આચાર્યનું ધરતી ઉપર અવતરણ થયું. તેઓએ ષોડષ ગ્રંથોની રચના કરી.આચાર્યોનો મત છે કે એક વિશેષ કારણથી એ ધરતી ઉપર ભુમંડલ ઉપર આવેલા હતા.
સંસારમાં વર્ધમાન આપણે બધા છીએ પરંતુ મહાવીર નથી.આપણી આકાંક્ષાઓ પ્રતિદિન વધતી જાય છે. સમસ્ત એશ્રણાઓ સમાપ્ત થઈ જાય એ મહાવીર બને છે.આખી કાઇનાત જ્યારે વિષાદપૂર્ણ થાય છે ત્યારે આવા મહાપુરુષનું અવતરણ પ્રસાદના રૂપમાં મળે છે.કોઈ એક બે ઘટના નહીં પણ સમષ્ટિ માટે એ આવે છે.અવતારો બધા ઉત્તરમાંથી અને આચાર્યો બધા દક્ષિણમાંથી આવ્યા એવો મત છે.વલ્લભાચાર્ય પણ દક્ષિણમાંથી આવ્યા છે.અને શ્રીમદ ભાગવતના ગુઢાર્થ જગતની સામે ખોલવા માટે એનું વિશેષ અવતરણ થયું.એ ન આવ્યા હોત તો ભાગવતની સુબોધિની આપણને ન મળત.શ્રીધરી ટીકા પણ ભાગવતમાં છે.પણ ભગવાન મહાપ્રભુ પ્રસ્થાનત્રયિનો સ્વીકાર કરે છે અને વૈષ્ણવ કથાકારો મોટાભાગે સુબોધિની ટીકાનો આશ્રય લે છે.એના પ્રાગટ્ય પછી ગોલોકથી બ્રહ્મલોકથી કહેણ આવ્યું, ઠાકોરજીની આજ્ઞા આવી કે ધરતી ઉપર ક્યાં સુધી રહેશો! હું તમારા વિરહમાં છું.પરમાત્મા પણ કોઈ મહાપુરુષના વિયોગમાં હોય છે.આજ્ઞાનો અનાદર થયો.પણ ન ગયા અને ત્રણ ગ્રંથો ગંગાસાગર પર એને લખ્યા.બીજી વખતે એને બોલાવવામાં આવ્યા એ પછી દશમસ્કંધનો ભાસ્ય કરવા માટે મધુવનમાં આવ્યા અને દશમસ્કંધ પર એની ગજબની ટીકા છે બીજી વખત કહેણ આવ્યું પરમ તત્વનું,ન ગયા. ત્રીજી વખત આદેશ આપ્યો ત્યારે સંન્યાસ લીધો. વૈષ્ણવી દીક્ષા,સફેદ વસ્ત્રનો સંન્યાસ લીધો અને આખા ભારતમાં ફર્યા.જ્યાં જ્યાં ગયા ભાગવતની પારાયણ કરતા.આ રીતે ૮૪ બેઠક પર ગયા.ક્યારેક વાલ્મિકી રામાયણનું પણ પારાયણ કર્યું છે. ગુજરાતમાં ખેરાલુ,ઉત્તર ગુજરાત,ત્યાં એક ગોવિંદ દવે નામના વૈષ્ણવ હતા અને મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરી અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ શરણમ મમનો જાપ કર્યો અને વૈષ્ણવી પદ્ધતિથી પુષ્ટિ માર્ગી સેવા કરતા કરતા એક વખત એને પત્ર લખ્યો કે સેવામાં મારું મન લાગતું નથી એ વખતે મહાપ્રભુજીએ નવરત્ન સ્તોત્ર લખી અને કહ્યું કે આનો પાઠ કરો .ઠાકોરજીની સેવામાં રતિવર્ધન થશે.આ માત્ર પુષ્ટિમાર્ગની વાત નથી ક્યારેક આપણે મહાપુરુષોની ખૂબ નાના બનાવી દઈએ છીએ.આ ૯ શ્લોકનો સાર છે એમાં કહે છે કે વૈષ્ણવ ઠાકોરજીના હોવાને કારણે ક્યારેય ચિંતા ના કરો.રામ પણ સુગ્રીવને કહે છે તું ચિંતા ન કર.અર્જુનને કૃષ્ણ કહે છે તું ચિંતા ન કર. ચિંતા ન કર.ભરોસો રાખ તો,ચિંતા નહિ કર તો ઠાકોરજી બધું જ કરી દેશે.
ખલીલ જીબ્રાન કહે છે:પ્રેમીને કોઈ ચીજ નહીં પણ આપણે ખુદને આપી દેવા પડે છે.પતિ પરાયણ પુરુષ શિવરૂપ છે અને પતિવ્રતા નારી એ પાર્વતી રૂપા છે. એવું શિવપુરાણ કહે છે.
આ બાંટ લે કાયનાત,તું મેરા;બાકી સબ તેરા!
આવા મહાપુરુષનો ઈતિહાસ કોઈ એક વ્યક્તિ ના લખે,આખું અસ્તિત્વ લખે છે.
બીજું કહ્યું બ્રહ્મસબંધનું રહસ્ય સમજી, વિચારીને કોઈપણ નિર્ણય કરવો.ત્રણ-જડચેતન બધા જ સાથે સંબંધ રાખવો.આ વિશાળતા છે.ચાર-પરમાત્માને નિવેદન કરશો તો ભગવાન પ્રેમલક્ષણા ભક્તિ પ્રદાન કરશે.પાંચ-લૌકિક અને વૈદિક કાર્યમાં વિધ્ન આવે તો ચિંતા ના કરો,ભગવાનની ઈચ્છા સમજી અને સ્વીકારો.છ-બધામાં શ્રીનાથજીના દર્શન કરો.સાત-સેવા કરો ચિંતા ન કરો.ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરો.આઠ-સેવા કરતા કરતા ઉદ્વેગ થાય તો સમજો ઠાકોરજીની ઈચ્છા થઈ.નવ-અષ્ટાક્ષર મંત્રનો જપ કરો ચિંતા દૂર થઈ જશે.
બાલકાંડના સમાપનની કથા બાદ અયોધ્યાકાંડમાં અતિ સુખનું વર્ણન છે.અતિસુખ દુ:ખમાં પરિણમે છે.બાદમાં ગંગાતટ પર રામ-કેવટના સંવાદનો પ્રસંગ બાપુએ વર્ણવ્યો.વાલ્મિકીજીને રામ રહેવાનાં સ્થાન પૂછે છે એ પ્રસંગનું ગાન થયું.રામ વિયોગમાં દશરથના મૃત્યુનો પ્રસંગ વર્ણવ્યો.ભરતજીનું અયોઘ્યામાં આગમન પછી ભરત મિલાપનાં કરુણ પ્રસંગનું સજળ વર્ણન કર્યું.સંક્ષિપ્તરૂપે દરેક કાંડનાં મહત્વના પ્રસંગો ગાઇને રાવણ નિર્વાણ અને રામરાજ્યાભિષેકની કથાનું ગાન કરી કથા વિરામ અપાયો.આવતિકાલે આ રામકથાની પૂર્ણાહૂતિ છે.
Box
ગોલીબાર હનુમાનજીનાં મહંતશ્રીનાં મહાનિર્વાણને બાપુની શ્રધ્ધાંજલિ
બાપુએ કહ્યું કે આજે ગુજરાતનાં ભાવનગર પાસે એક સ્થાન છે-ગોળીબાર હનુમાન.એના મહંત પરમ પૂજ્ય મદનમોહનદાસજી બાપુ,જે ભાવનગર તલગાજરડા આસપાસ જ્યારે પણ વ્યાસપીઠની કથા હોય ત્યારે શોભાયાત્રા જ્યાંથી નીકળતી.થોડા વર્ષ નાદુરસ તબિયત પણ રહી.ગઈકાલે તેઓ બ્રહ્મલીન થયા છે.મહાપુરુષોની વિદાય મંગલમય હોય છે.બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુના નિર્વાણને વાંગમયી શ્રદ્ધાંજલિ સાથે પ્રણામ.બાપુએ કહ્યું કે ભાવનગરના બે મહાત્મા:એક મૌનીબાબા જે ત્યાગી અને વૈરાગી હતા અને બીજા મદનમોહનબાપુ.એક જ પાત્રમાં ભોજન લેતા હતા અને વ્યાસપીઠની પાછળ બેસી અને કથા સાંભળતા.હનુમંત સેવી, સાધુસેવી,સમાજસેવી રહ્યા એને વ્યક્તિગત અને વ્યાસપીઠના સર્વશ્રોતાઓ વતી દિલસોજી પાઠવું છું.