શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં અધ્યક્ષ શ્રી તરુણ ભાઈ મહેતા, વૈકુંઠ દાદા જાની સજોડે રમાબા સાથે મળીને
દીપ પ્રજવન કર્યું હતું.
કાર્યક્રમ ની શરૂઆત સ્વાગત ભાષણ થી કરવામાં આવ્યું.
સભા માં શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં કમિટી સભ્યો ઉપાધ્યક્ષ જીતેશ ભાઈ જાની,
મંત્રી શ્રી હરીશ ભાઈ દવે, સહમંત્રી અજયભાઈ રાજગુરુ, ખજાનચી અજયભાઈ ઓઝા, સભ્યો શ્રી
મયૂર પુરોહિત, હેમલ જોષી આ ઉપરાંત ગાયત્રી મહિલા મંડળ માં થી નિયુક્ત કરવામાં આવેલા મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.અનુપસ્થિત રહેલાં માનદ અધિકારીઓ શ્રી સૈલેશ ભાઈ ત્રિવેદી, શ્રી રમેશ ભાઈ પંડ્યા અને બેન ક્રિષ્ના જોષી એ મહત્વ નાં કારણોસર આદરણીય પ્રમુખ શ્રી ની પૂર્વ અનુમતિ લીધી હતી.
ચેરમેન અને એડવાઈઝરી બોર્ડ નાં માનદ સભ્યો જેમ કે શ્રી બિપિન ભાઈ દવે, શ્રી બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી, શ્રી જનક ભાઈ બ્રહ્મ ભટ્ટ, નવદુર્ગા વાળા શ્રી હરિષભાઈ ભટ્ટ
આ ઉપરાંત અન્ય માનદ સભ્યો હતાં.
શ્રી મયૂર પુરોહિતે સૌની હાજરી લીધી હતી
આદરણીય વડીલ શ્રી તરુણ ભાઈ મહેતા ની અનુમતિ થી વિગત વાર
એક એક મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી.
બ્રાહ્મણો નાં મહત્વ નાં તહેવાર ની ચર્ચા કરવા માં આવી. સૌએ સક્રિય ભાગ લીધો.ચર્ચા વિચારણા ને અંતે
એવાં નિષ્કર્ષ પર આવ્યાં કે બળેવ નું સ્નેહ મિલન અને રક્ષાબંધન પર્વ એમ બે કાર્યક્રમો અલગ અલગ કરવામાં આવે. બળેવ ના રોજ સૌ ભૂદેવો બ્રાહ્મણો નાં
મહત્વપૂર્ણ સંસ્કાર જનોઈ બદલશે.
બળેવ પછી નાં રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમૂહ માં ભાઈઓ બહેનો રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરશે. જુની જગ્યા ભાડે આપી ને
સમાજ માં આવક નો વધારો કરવામાં આવશે. સમય આવ્યે નવી
જગ્યા લેવા માં આવશે. બીજા પણ કેટલાંક મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સમાજ ને ૫૦ વર્ષ પૂર્ણ થવાનાં છે એટલે વધારે માં વધારે
સાંસ્કૃતિક કાર્યક્રમો આપવા આવે એવી રજૂઆત જીત ભટ્ટ તરફ થી કરવામાં આવી. પ્રમુખ શ્રી જણાવ્યું કે બાબત કમિટી માં રજુ કરવામાં આવશે. વધારે માં વધારે કાર્યક્રમો આપવા ની કોશિશ કરશું.એ માટે સૌને એનાં કૌશલ્ય અનુસાર કામગીરી સોંપવામાં આવશે.
આ ચર્ચા વિચારણા માં નાના મોટા સૌ નાં મહત્વપૂર્ણ સુઝાવો સ્વીકારવા માં આવ્યાં હતાં.
સૌની વિવિધ રજુઆત લખી લેવામાં આવી હતી. એ સૌ બાબતે
પછી થી કમિટી ચર્ચા કરવામાં આવશે. પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
વડીલો જેમ કે ગોરબાપા પ્રવીણ ભાઈ દવે અને અન્ય મહાનુભાવો એ
શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી ને ખુબ ખુબ આશીર્વાદ આપ્યાં હતાં.
સમૂહ જનોઈ નું આયોજન કરવાની
વિચારણા કરવામાં આવી હતી. જો યોગ્ય સંખ્યામાં બટુકો નાં નામ આવશે તો જ થશે. જેની વિગત પછી
જણાવવામાં આવશે. આ માટે પૂર્વ પ્રમુખ શ્રી
બિપિન ભાઈ દવે એ જાહેરાત કરી હતી કે જ્યારે સમૂહ જનોઈ થશે ત્યારે જમણવાર પોતે કરશે.
કાર્યક્રમ નાં અંતમાં પ્રમુખ શ્રી એ સૌનો આભાર માન્યો હતો. પ્રસ્તુત છે પ્રમુખ શ્રી નાં સંદેશ એમનાં જ શબ્દો માં, ” ” *🙏🏼જાહેર આભાર 🙏🏼*
*સહર્ષ જણાવવાનું કે, તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૨ રવિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે આપણા બ્રહ્મસમાજની ઓફિસમાં “શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ સોસાયટી” “શ્રી ગાયત્રી મહિલા મંડળ” “યંગ બ્રાહ્મણ ગ્રુપ (Yb)”ના સભ્યો, ચેરમેન શ્રી વૈકુંઠભાઈ જાની અને એડવાઈઝરી બોર્ડના મેમ્બર્સ શ્રી બીપીનભાઈ દવે, શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, શ્રી જનકભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી હરીશભાઈ ભટ્ટ (નવદુર્ગા) હાજર રહી માર્ગદર્શન આપ્યું અને ખૂબ શાંતિથી સમાજની પ્રગતિ અને ઉન્નતી બાબતમાં રજૂ થયેલા દરેક મુદ્દાઓની ચર્ચા વિચારણા અને નિર્ણય માટે ખૂબ સહકાર મળ્યો છે. જે બદલ અમો તથા અમારી કમિટી મેમ્બરો ખુબ ખુબ આભારી છીએ. બસ આવો જ સાથ સહકાર હમેશાં મળતો રહે તેવી આશા.* “
*તરુણભાઈ મહેતા*
*અધ્યક્ષ*
*હરીશભાઇ દવે*
*માનદ-સચિવ* “
કાર્યક્રમ ની પૂર્ણાહુતિ પછી ઉપાધ્યક્ષ
શ્રી જિતેશ ભાઈ જાની તરફથી સૌ કારોબારી સમિતિ નાં સભ્યો ને ભોજન કરાવ્યું હતું.