ઓલ ઇન્ડિયા ત્રાસવાદ વિરોધી દળનાં ચેરમેન મનીંદરસિંગ બુટ્ટા સાહેબનું કોબા ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શ્રી બુટ્ટાસાહેબે કોબા ગામનાં પૌરાણિક અંબાજી મંદિર માતાજીનાં દર્શન કર્યા બાદ આચાર્ય અરુણોદય મહારાજ સાહેબનાં આશીર્વાદ લીધાં હતાં. તેમને ગૌશાળાનું ધી પણ આપવામાં આવ્યું હતું. અને પ્રમુખશ્રી લીલાભાઈ દેસાઈ, યોગેશ નાયી અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. અને શ્રી બુટ્ટા સાહેબ ભારત દેશ માટે વધુ સેવા કરું અને દેશનું નામ ખૂબ જ ઊંચાઈઓમાં લઈ જઈ શકે. તે માટે તેમણે અંબાજી માતાજીનાં આશિર્વાદ લીધાં હતાં.