રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ છે. રાજકોટમાં રવિવારે બપોરે 3.21 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. NCSએ ટ્વિટ કર્યું છે કે, રાજકોટના ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW)માં લગભગ 270 કિમીના અંતરે ભૂકંપ આવ્યો હતો. ગત અઠવાડિયે અમરેલીમાં બે દિવસમાં ત્રણ નાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.