વનડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની રોમાંચક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI ભારત-પાકિસ્તાન મેચ અમદાવાદમાં રમાડવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત નથી થઈ. જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. પાકિસ્તાન સામે છેલ્લે 2016માં ટી-20 વર્લ્ડ કપની મેચ ઈડન ગાર્ડમાં રમાઈ હતી. જેમાં ભારત જીત્યું હતું.