માનનીયશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ
મુખ્યમંત્રીશ્રી – ગુજરાત રાજય માનનીયશ્રી હર્ષ સંઘવી સાહેબ
ગૃહમંત્રીશ્રી – ગુજરાત રાજય
રાજયની સામાજિક શાંતિ અને સૌહાર્દના હિતમાં અન્યધર્મી યુવતીઓની ભગાડી જવાની ગંભીર ઘટનાઓ બંધ કરાવવા દરેક સમાજ અને ધાર્મિક આગેવાનો જાગૃતિ ફેલાવવાની ફરજ નિભાવે થુવતીને ભગાડી જવાની ગંભીર ફરિયાદના આધારે ગુના આચરનારાઓને ખાવામાં ન આવે તેની સામે સખત કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ. કસ્ટોડિયલ ડેથ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી જો પોલીસકર્મીઓ જવાબદાર હોય તો તેમની સામે પણ સખ કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
રાજયના ડી. પીસીએ સમદ્ર ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓને એસટી અને કોડિયા ડેટની
ગંભીર ઘટનાઓ ન બને તે બાબતે પત્ર લખી સૂચના પણ આપી છે.
જય ભારત સાથે જણાવવાનું કે સાવરકુંડલા તાલુકાના વડા પોલીસ સ્ટેશન હેઠળ આવતા પિયાવા ગામની એક યુવતીને ધાર ગામનો સદામ જુસબભાઈ અગવાન નામનો શખ્સ પોતાના ત્રણ મિત્રો જસુ કશુભાઈ ખુમાણ, પ્રવીણ ઉર્ફે મુન્નો મગનભાઈ રંગાણી અને નરેશ ભીમભાઈ ખડક ની મદદથી તા. ૧૮ની રાત્રે યુવતી સાથે લગ્ન કરવાના ઈરાદે કારમાં સાથે લઈ ગયા હતા. યુવતીના ઘરવાળાઓએ ગુમ થયેલી યુવતીના પથારીમાં મોબાઈલ પડેલો જોઈ તપાસ કરતાં છેલ્લો ફોન સદ્દામનો આવેલ હતો, યુવતીના પરિવારજનોએ ધાર ગામે જઈ તપાસ કરતા સદામ સાથેના અન્ય ત્રણ મિત્રો ગુમ હોઈ તેમની શોધખોળ કરતા મળી આવ્યા હતા અને આરોપીઓએ કબૂલ્યું હતું કે લગ્ન કરવા માટે સદ્દામ આ યુવતીને કારમાં લઈ ગયો હતો.
ઉપરોકત ગંભીર ગુના બાબતે યુવતીના પિતાએ પોલીસમાં સદ્દામ સહિતના ચાર શખ્સોની સામે બળજબરીપૂર્વક યુવતીને ભગાડી જવાનો ગુનો દાખલ કરેલ હતો. ગંભીર ગુનાના અનુસંધાને પોલીસે સદ્દામ જુસબભાઈ અગવાન ની તેના ત્રણ મિત્રો સાથે ધરપકડ કરી છે અને આવા ગંભીર ગુના આચરનારાઓને બખ્શવામાં ન આવે તેની સામે સપ્ત કાનૂની પોલીસ કાર્યવાહી થવી જ જોઈએ. રાજયની સામાજિક શાંતિ અને સૌહાર્દના હિતમાં અન્યધર્મી યુવતીઓની ભગાડી જવાની ગંભીર ઘટનાઓ બંધ કરાવવા દરેક સમાજ અને ધાર્મિક આગેવાનો જાગૃતિ ફેલાવવાની ફરજ નિભાવે, અમો ગુનેગારો સામે સત્ર કાનૂની કાર્યવાહીનું સમર્થન કરીએ છીએ.
પરંતુ અચાનક આજે સવારે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવેલ કે તમારા પુત્રએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતકના પરિવારના સગાસબંધીઓએ અમોને જાણ કરી છે કે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હોય તો તેની જવાબદારી કોની અને આત્મહત્યા કરવા માટેનો દોડો અને મોટી ચાદર ક્યાંથી આવી અને કોણે પૂરી પાડી? મૃતકના શરીરના અન્ય ભાગો પર મારના નિશાન દેખાઈ આવે છે. માટે મૃતકનો પોસ્ટમોર્ટમ ફોરેન્સીક લેબ તથા પેનલ ડોકટર મારફતે વીડીયો ગ્રાફી દ્વારા કરાવવામાં આવે અને જો પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હોય તો પણ પોલીસની નિષ્કાળજી અને જવાબદારી
છેલ્લા બે દિવસના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસ સ્ટેશનના સીસીટીવી તાત્કાલિક જપ્ત કરી સીસીટીવી માંથી સમગ્ર ઘટનાક્રમ ડીલીટ કરવામાં ન આવે અને જો સીસીટીવી ફૂટેજ ડીલીટ કરેલ હોય તો તે કાનૂની રીતે ગંભીર ગુનાહિત કૃત્ય ગણાય. ડીલીટ કરેલ સીસીટીવી ફૂટેજ પરત મેળવી સમગ્ર ઘટનાક્રમની ન્યાયિક તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બોટાદ કસ્ટોડિયલ ડેથની ઘટના પછી ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ૩૦૨ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રાજયના ડીજીપી શ્રીએ સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓને એટ્રોસિટી અને કસ્ટોડિયલ ડેથની ગંભીર ઘટનાઓનબને તે બાબતે પત્ર લખી સૂચના પણ આપી છે.
નકલ રવાના :
૧) ડીજીપીશ્રી વિકાસ સહાય સાહેબ ૨) લો એન્ડ ઓર્ડર ડીજીપીશ્રી સાહેબ
આભાર સહ.
ઈમરાન ખેડાવાલા ધારાસભ્યશ્રી
રીના ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્યશ્રી