ભારતવર્ષના ૧૨ જ્યોતિર્લિંગ સહિત ૨૮ મૂખ્ય મંદિરોની બખૂબીપૂર્વક ચિત્રકારી અને તેની ઉત્પત્તિથી લઈને મહત્તા સુધીની વાતોને વણી લેતી કથાઓનું આલેખન!
આ પ્રકલ્પનો વિચાર આવવો એ જ એક વિશેષ અને અદ્વિતિય વિચારધારાનો પરિચય કરાવી જાય છે!
આ વિચારને આકાર આપવા માટે દીકરીને પોતાની સંસ્કૃતિ સાથે કુશળતાપૂર્વક સાંકળવી અને તે પછી એકધારો અથાગ પરિશ્રમ, અકલ્પ્ય કલ્પનાશક્તિભરી છણાવટ , પ્રકલ્પને સફળ બનાવવા માટેનું સમગ્ર સંચાલન , સુશોભન અને સંભાષણ આ બધુ સર્વોચ્ચ રીતે કરવું એ વાત માટે પ્રિયા અધ્યારુ-મહેતાને અનેકાનેક અભિનંદન!
આટલા સુંદર ચિત્રાંકન માટે અને એ પણ મંદિરોની સંસ્કૃતિ વિષે સમજીને આ ચિત્રાંકનનું બેનમૂન કાર્ય કરવા માટે ઈશા મજિઠિયાને પણ આપો એટલા અભિનંદન ઘટે! આર્ટ એજ્યુકેટર આશિષ કટારિયાને તેમની અદ્ભૂત ચિત્રશૈલી માટે વંદન અને અભિનંદન!
સૌ મિત્રોને પુન: આમંત્રિત કરું છું કે ‘કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ’ની મુલાકાત અવશ્ય લેજો!
શનિવાર અને રવિવાર હજી પણ બંને દિવસ આ પ્રદર્શન અમદાવાદ માટે ખુલ્લું છે તો તેની નોંધ લેવાનું ચૂકતા નહીં!
આ સેન્ટર પર અત્યારે જ્યોતિર્લિંગ, શક્તિપીઠ અને બીજા ધર્મસ્થાનોના ચિત્રોથી એક અગાધ શક્તિનો જાણે સંચાર થઈ રહ્યો છે!
આ નવચેતનાને સ્વયંમાં ઓતપ્રોત કરવા માટે આ પ્રદર્શનની મુલાકાત લેવી આવશ્યક છે.