ઓલ ઇન્ડીયા કોલેજ પ્રિન્સીપાલ્સ અશોશીએશનના પ્રમુખ તથા એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે આસામ રાજ્યના લખીમપુર કોલેજના ગોલ્ડન જ્યુબીલી સેલીબ્રેશનના ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહીને “ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને ન્યુ એજ્યુકેશન પોલીસી” વિષય ઉપર વ્યાખ્યાન આપ્યુ હતુ . જેમાં પ્રિ.વકીલે કહ્યું હતુ કે નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને સ્કીલ બેઝડ એજ્યુકેશન આપીને આત્મનિર્ભર ભારતની રચના તથા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતુ શિક્ષણ આપવાની વાત છે. સાચા અર્થમાં વિદ્યાર્થીઓને વિષયોની પસંદગી આપી ઓવરઓલ ડેવલપમેન્ટની સાથે દેશના આદર્શ નાગરીક બનાવી શકાશે. આ સમારંભમાં કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રી ડો.રાજકુમાર રંજન સિંહે પ્રાસંગોચિત વક્તવ્ય આપી દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન વિશે વિચારો વ્યક્ત કર્યા હતા. આસામ રાજ્યના કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડો.રનોજ પેગુએ નવી શિક્ષણ નીતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ જેમાં વિદ્યાર્થી ‘જોબ સીકર’ નહી પરંતુ ‘જોબ ગીવર’ તરીકે પ્રસ્થાપીત થાય જેનાથી ભારત દેશનું યુવાધન ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ જાય છે તેને આપણે અટકાવી શકીશુ. આ કાર્યક્રમમાં આસામ રાજ્યના શિક્ષણ સચીવ ,વિવિધ યુનિવર્સિટીઓના કુલપતીઓ તથા યુજીસીના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રાસંગોચિત વક્તવ્યો આપ્યા હતા.