નોટબંધીને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી લાગુ કરાઇ હતી. જેને લઇને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, નોટબંધી એક ષડયંત્ર હતું રોજગારી છીનવી લેવાનું, શ્રમિકોની આવક બંધ કરવાનું, નાના ઉદ્યોગોને ખતમ કરવાનું, ખેડૂતોને આર્થિક નુકસાન કરવાનું અને અસંગઠિત અર્થવ્યવસ્થા તોડવાનું. આ 99 ટકા ભારતીય પર હુમલો હતો જ્યારે 1 ટકા મૂડીપતિઓને ફાયદો હતો. એક હથિયાર હતું તમારા ખિસ્સા કાપવાનું.