ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો
ભારતનો વધુ એક દુશ્મન ઠાર થયો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)થી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપનાર આતંકીની હત્યા કરી દેવાઇ છે. લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ખ્વાજા રશિદનો માથું કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. થોડા દિવસ પહેલા તેનું અપહરણ થયું હતું. ખ્વાજા 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં અધિકારી સહિત 7 જવાન શહિદ થયા હતા.