એચ.એ.કોલેજમાં વિકસીત ભારત @
2047 વિષય ઉપર વક્તવ્ય યોજાયું
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ વિભાગ દ્વારા વિકસીત ભારત @2047 સંદર્ભે વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓએ આ વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. 2047 માં દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે તે સમયે ભારત દેશ વિકસીત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં આર્થીક ક્ષેત્રે ડંકો વગાડશે. મેક ઇન ઈન્ડીયા તથા આત્મનિર્ભર ભારત ઉભુ કરવા દેશના દરેક યુવાને ફાળો આપવો જોઈએ . સ્ટાર્ટ અપની મદદથી વિદ્યાર્થીઓમાં રહેલી સ્કીલને ઉજાગર કરીને પોતાનો બીઝનેશ શરૂ કરી શકે છે. હાલમાં ભારત દેશમા અસંખ્ય તકો મળી શકે તેમ છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારત દેશના હજારો યુવાનો દર વર્ષે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે દેશ છોડીને પરદેશ જાય છે. આવા યુવાનોને પરદેશ જતા રોકવા માટે આપણે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપી દેશમાંથી જતા પૈસા અટકાવી શકીએ છીએ. આનાથી દેશનું નાણું દેશમાજ રહેશે . જેથી ૫ ટ્રીલીઅન ડોલરની ઈકોનોમી સાથેનું આપણા સપનાનું વિકસીત ભારત ૨૦૪૭ સુધી બનાવી શકીશુ. આ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના એન.એસ.એસ. વિભાગના કોઓર્ડીનેટર પ્રા.એચ.બી.ચૌધરીએ કાર્યક્રમનું સફળ સંચાલન તથા આયોજન કર્યુ હતુ.