Loud and Clear…
મને તેમની કોઈ પરવા નથી… ભાડ માં જાય આવા અહંકારી પાખંડી.
કેમ કે,
શંકરાચાર્ય ફક્ત એક જ છે,
આપણા આદરણીય ભગવાન આદિ શંકરાચાર્ય.
બાકીનાને માત્ર સનાતનની જાળવણીની જવાબદારી આપવામાં આવી હતી, આશ્રમો ના સિંહાસન પર બેસવાની નહીં…
કૃપા કરીને મને આ ધુતારા મહારાજો નાં સમાજીક યોગદાન સમજવામાં મદદ કરો
શું તેઓએ ધર્માંતરણ બંધ કરાવવા પ્રયત્ન કર્યા ?
શું તેઓએ લવ જેહાદ બંધ કરાવવા પ્રયત્ન કર્યા ?
શું તેઓએ યુવાન માતાપિતાને બાળકોમાં સનાતન શીખવવા માટે પ્રેરણા આપી ?
શું તેઓએ આયુર્વેદ અને યોગને પ્રોત્સાહન આપ્યું ?
શું તેઓએ નકલી સાધુનો પર્દાફાશ કરવા માટે કોઈ પહેલ કરી ?
શું તેઓએ “કરોડપતિ ધંધાદારી કથા વાચક” ને અલ્લાહ મૌલા કહેવાનો પર્દાફાશ કર્યો ?
શું તેઓએ ભારતમાં જાતિદૂષણ ને દૂર કરવા અને સમરસ સનાતન સમાજ રચવા માટે કોઈ પ્રયાસો કર્યાં ?
કૃપા કરીને મને કહો કે તેઓ કેવી રીતે સનાતનનું રક્ષણ કરે છે ?
મને માત્ર એક કારણ જણાવો… કે તેઓ સાચે જ સનાતન રક્ષક છે.
યુવરાજ રામચંદ્ર ને “મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ” નું બિરુદ મેળવતા 14 વર્ષ લાગ્યા હતા.
જો તમે નકલી ભગવા ધારી 150KG નાં પાખંડીઓ નું સમર્થન કરો છો તો મને કોઈ વાંધો નથી પણ મને દબાણ કરશો નહીં.
કેમ કે, વધારે નહીં તો એટલું તો સમજું જ છું કે,
રામાયણ અને ગીતા માત્ર પવિત્ર પુસ્તક નહીં, તે આપણાં જીવન માટે કાર્યકારી દસ્તાવેજ છે.
આવા “બગભગત” ફક્ત એક સરળ પ્રશ્નનો જવાબ આપે :
શ્રી રામ અને શ્રી કૃષ્ણની અટક શું હતી ?
પરંતુ,
ફાઈવસ્ટાર આશ્રમ માં આરામદાયક જીવન માણતા 150 kgs ના ધર્મ ઠેકેદારો કહે છે કે માત્ર બ્રાહ્મણ જ પૂજા કરી શકે છે !?
જ્યારે શ્રી અશોક સિંઘલ જી રામજન્મભૂમિ ચળવળ કરી રહ્યા હતા… તેમની પીઠ થયેલ
પોલીસ લાઠીમાર ની પીડા સહન કરી કારસેવા કરી રહ્યા હતા,
ત્યારે આ જ ઠેકેદારો આશ્રમમાં આતિથ્યનો આનંદ માણી રહ્યા હતા.
મને તેમના માટેનું રહ્યુસહ્યું માન પણ હવે રહ્યું નથી, તે આજે પણ ધનુષ્ય અને તીરના દિવસોમાં જીવી રહ્યાં છે.
એ તો એમ પણ કહે છે કે, SCનો ચુકાદો તેમણે SCને મોકલેલા તેમના 24 મુદ્દાઓ પર આધારિત હતો !!
આ જ તેમની સૌથી મોટી મજાક છે, કારણ કે SCનો ચુકાદો મંદિર માટે નહીં પરંતુ જમીન વિવાદ માટે હતો.
આધુનિક જમાના ની યુદ્ધની એબીસીડી તેમને સમજાતી નથી, રાજકારણની એબીસીડી તેમને સમજાતી નથી,
એ માત્ર “ફાઈવસ્ટાર ઠગભગત” થી વધુ
બીજું કંઈ નથી.
જ્યારે તમે તમારી જાતને સુખસગવડ ભર્યા આશ્રમ માં “સીમિત” કરો છો ત્યારે આવા અહંકારી વિચારો આવે એ સ્વાભાવિક છે.
વર્ણ વ્યવસ્થા માં સમરસ રહેલા સનાતન સમાજ ને અલગ અલગ જાતિ વિભાજન માં ધકેલનાર સૌથી મોટા ચેમ્પિયન આવા સ્વયં ઘોષિત મહારાજ જી છે.
જેમણે મા શબરી નાં એંઠા બોર ખાધા
જેમણે કેવટ ની હોડી માં નદી પાર કરી
જેમણે નિષાદરાજ ને ગળે લગાડ્યાં
… એ શ્રી રામ ની “દુહાઈ” આ અહંકારી મહારાજ આપે છે !?
શ્રી રામ ને સમજવા પહેલાં “રામ બનીને” જીવવું પડે છે… પણ, આ ઠગો નાત જાત માં આપણને અળગા રાખી તેમનું વૈભવશાળી જીવન સાચવી રાખે છે.
એમના અહંકાર ને ઠેસ પહોંચી છે એટલે “રામદ્રોહ” તો આ આડંબરી કરી રહ્યાં છે.
આવાં અનેક આડંબરી મહારાજો હવે તેમનાં આશ્રમો અને સિંહાસનો સાચવવાં અચાનક ફૂટી નીકળશે અને આપણને હિંદુ ધર્મ ઉપર ભાષણો આપશે.
તમને વિનંતિ કે તેમની જાળ માં ફસાશો નહીં.
કેમ કે
સનાતન સરળ છે
સરળ છે એ સનાતન છે.
આવા “ધુતારા સ્વામી” આવનાર મહાદીપાવલી પર્વ ને વધાવે કે ન વધાવે…
મને તેમની કોઈ પરવા નથી… ભાડ માં જાય આવા અહંકારી પાખંડી.
સદીઓ નાં રક્તરંજિત અથાગ પરિશ્રમ પછી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત આવી રહ્યાં છે અને હું ઉત્સુકતાપૂર્વક શ્રી રામજી ની પ્રતીક્ષા કરી રહ્યો છું.