શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ(લવ-કુશ) અને શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોના ઈનામ વિતરણ અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજય સભા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ જિગીષાબેન પટેલની ઉપસ્થિતિએ નવી ઉર્જાનો સંચાર કર્યો.
પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલ, ચેરમેન ડૉ. જીતુભાઇ બી.પટેલ , સેક્રેટરી રમેશચંદ્ર બી. પટેલ, ટ્રસ્ટીશ્રીઓ બાબુભાઇ પટેલ, ડો વિશ્વાસ અમીન, આર સી પટેલ, સનેહલભાઈ પટેલ (પીસી સ્નેહલ ગ્રુપ) હાજર રહી ઇનામ વિતરણ કાર્યક્રમને ઓપ આપ્યો હતો .
આ પ્રસંગે કવયિત્રી અને લેખિકા બીનાબહેન પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું અને જણાવ્યું હતું કે , તેજસ્વી બાળકોએ જીવનમાં સતત મહેનત કરવી જોઈએ .તેઓએ શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિનું જતન કરતાં પણ શીખવું પડશે.બીના બહેને પોતાના નવા પુસ્તક ‘સનાતનનો જયઘોષ ‘ભવ્ય રામમંદિર વિષે
ઊંડાણપૂર્વક વાત કરી .
આ સુંદર પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.